‘સમરસતા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની જન્મભૂમિ કાશીની પાવન માટી સાથે અંબાજીથી પ્રસ્થાન કરેલી ત્રિ-દિવસીય કળશ યાત્રાનું આજે કર્ણાવતી મહાનગરમાં માનનીય
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ સાથે ભાવસભર સ્વાગત કર્યું.
પવિત્ર કળશની વિધિવત્ પૂજા-અર્ચના કરી તેમજ શ્રી જગન્નાથજી મંદિરમાં કળશનું સ્થાપન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.

