જિલ્લામાં સાસરિયા પક્ષને ખાવામાં નશીલો પદાર્થ મિલાવીને બેભાન કરી ત્યાર બાદ ઘરના દાગીના અને રોકડ રુપિયા લઈ ફરાર થવાના કેસમાં પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે આ મામલામાં ત્રણ વર્ષથી વધારે સમયથી ફરાર આઓરોપી મહિલા અને તેના પ્રેમીની ધરપકડ કરી લીધી છે. બંને પર આરોપ છે કે તેમણે મળીને આ ઘટનાને અંજામ આપ્યો અને ઘટના બાદ ફરાર થઈ ગયા હતા.પોલીસના જણાવ્યા અનુસાર, આ મામલામાં પીડિતે રિપોર્ટ લખાવી પોતાની પત્ની પર ગંભીર આરોપ લગાવ્યા હતા. રિપોર્ટમાં જણાવ્યું હતું કે તેની પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને કાવતરું રચ્યું અને રાતના સમયે ભોજનમાં નશીલો પદાર્થ ભેળવી દીધો હતો. ખાવાનું ખાધા બાદ પરિવારના લોકો બેભાન થઈ ગયા. આ દરમ્યાન મહિલા પોતાના પ્રેમી સાથે ઘરમાંથી દાગીના અને રોકડા રુપિયા લઈને ફરાર થઈ ગઈ હતી.
રાતના ખાવામાં નશીલો પદાર્થ મિલાવવાનો આરોપ
આ મામલાની શરુઆત ત્યારે થઈ જ્યારે પરિવારના લોકો રાતના સમયે ભોજન લીધું. પીડિત તરફથી પોલીસને આપેલા રિપોર્ટ અનુસાર, ખાવામાં નશીલો પદાર્થ ભેળવ્યો હોવાના કારણે આખો પરિવાર બેભાન થઈ ગયો. પરિવારના લોકો જ્યાં સુધીમાં કંઈ સમજે તે પહેલા તે ઘરમાંથા દાગીના અને રોકડા રુપિયા લઈને ગાયબ થઈ ગઈ હતી. રિપોર્ટમાં આરોપ લગાવ્યો છે કે મહિલાએ આ આખી ઘટના પ્રેમી સાથે મળીને અંજામ આપ્યો હતો. ઘટના બાદ બંને ત્યાંથી ફરાર થઈ ગયા. પોલીસે પીડિતની ફરિયાદ પર મામલો નોંધી લીધો અને તપાસ શરુ કરી દીધી.
ત્રણ વર્ષથી પણ વધારે સમય સુધી પોલીસથી ભાગતા રહ્યા
આ મામલો નોંધાયા બાદ પોલીસ સતત આરોપીઓને શોધતી રહી, પણ આરોપી મહિલા અને તેનો પ્રેમી ત્રણ વર્ષથી પણ વધારે સમય સુધી પોલીસના હાથમાં આવ્યા નહીં. લાંબા સમયથી ફરાર ચાલી રહેલા બંને આરોપીઓને પકડવા માટે પોલીસને ભારે મહેનત કરવી પડી. હવે પોલીસ ટીમે કાર્યવાહી કરતા બંનેની ધરપકડ કરી લીધી છે. ધરપકડ બાદ પોલીસ આ મામલા સાથે જોડાયેલા બાકીના પાસાની પણ તપાસ કરી રહી છે. પોલીસ એ શોધી રહી છે કે ઘટના બાદ તેઓ ક્યાં ક્યાં રહ્યા અને ફરારી દરમ્યાન તેઓ કયા લોકોના સંપર્કમાં હતા.