પતિ-પત્નીની હત્યા કરી બંનેની બોડી પટારામાં બંધ કરી દીધી, ભયંકર દુર્ગંધ આવતા પાડોશીએ પોલીસ બોલાવી

Spread the love

ઉદયપુરમાંથી એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. ઉદયપુરના સાયરા વિસ્તારના પુનાવલી ગામમાં એક દંપત્તિની હત્યા કરી તેમની લાશને સંદૂકમાં બંધ કરી દીધી. બે-ત્રણ દિવસ સુધી કોઈને ખબર ન પડી. પણ બાદમાં જ્યારે દંપત્તિના ઘરમાંથી દુર્ગંધ આવવા લાગી તો પાડોશીઓને શંકા ગઈ. પછી તેમણે પોલીસને સૂચના આપી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી સચ્ચાઈ સામે આવી.લાશની હાલત જોઈ પોલીસ અને દંપત્તિના પાડોશી પણ હચમચી ગયા. ડબલ મર્ડરની જાણ થતાં આખા ગામમાં સનસનાટી ફેલાઈ ગઈ.

 

પોલીસ અધીક્ષક અમૃતા દુહને જણાવ્યું કે, મૃતકોની ઓળખ લહરીલાલ પાલીવાલ અને રાધા દેવી તરીકે થઈ છે. આ બંને પતિ-પત્ની છે. આ બંને મંગળવાર રાતથી ગુમ થયા હતા. ત્યાર બાદ તેમનો કોઈ પત્તો લાગ્યો નહીં. પરિવારે તેમના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. તપાસમાં બંનેના મોબાઈલ લોકેશન લખાવલી ગામ નજીક જોવા મળ્યા. પોલીસે બંનેની ત્યાં શોધ કરી પણ કંઈ હાથ આવ્યું નહીં. શુક્રવાર સવારે પુનાવી ગામમાં લહરીલાલના ઘરમાંથી ભયંકર દુર્ગંધ આવતા આજુબાજુના લોકોને શંકા ગઈ તો તેમણે પોલીસને સૂચના આપી.

 

કેસની તપાસ માટે એસઆઈટી બનાવી

 

આના પર પોલીસે ત્યાં પહોંચી અને ઘરની તલાશી લીધી. આ દરમ્યાન બંનેની લાશ એક મોટા પટારામાં પ્લાસ્ટિકની થેલીમાં બંધ હતા. પતિ-પત્નીની હત્યાના સમાચાર મળતા ગામના લોકોની ભીડ એકઠી થવા લાગી. બાદમાં પોલીસે લાશને સંદૂકમાંથી કાઢી તેમને સ્થાનિક હોસ્પિટલની મોર્ચરીમાં રખાવી દીધા. મામલાની ગંભીરતા જોતા એસપી અમૃતા દુહને કેસની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવી અને તેને મર્ડરના ખુલાસાની જવાબદારી સોંપી છે.

 

ટીમ ઘટનાસ્થળે રહી તપાસને આગળ વધારશે

 

પોલીસ ટીમ ઘટનાસ્થળેથી મળેલા પુરાવા, સીસીટીવી ફૂટેજ, કોલ ડિટેલ અને દંપત્તિ સાથે જોડાયેલા લોકો સાથે પૂછપરછ સહિત અન્ય તમામ સંભવિત પાસાની તપાસ કરશે. પોલીસ આરોપીઓ સુધી પહોંચવા માટે એક ટેકનિકલી અને પરંપરાગત રીતોની પણ તપાસ કરી રહી છે. ખાસ વાત એ છે કે આરોપીઓની ધરપકડ થવા સુધી સ્પેશિયલ ટીમ ઘટનાસ્થળ પર રહીને તપાસને આગળ વધારશે. પોલીસનું ફોકસ જલદીમાં જલદી આ હત્યાકાંડમાં આરોપીઓને પકડી જેલના હવાલે કરવાનો છે.

 

પોલીસની સ્પેશિયલ ટીમ આ કેસની દરેક કડીને જોડવામાં લાગી

 

દંપત્તિની હત્યા કોણ અને કયા કારણોથી કરી? શું આ હત્યા પાછળ કોઈ જૂની અદાવત અથવા વિવાદ હતો? લાશને પટારામાં બંધ કરવા પાછળ હત્યારાઓનો ઇરાદો શું હતો? આ તમામ સવાલોના જવાબ પોલીસ તપાસ બાદ સામે આવશે. હાલમાં ડબલ મર્ડરની આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ પેદા કર્યો છે અને પોલીસની સ્પેશિયલ ટીમ આ મામલે તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *