ભાવનગરમાં સામે આવેલા ઝેરી દારૂના બનાવ બાદ પોલીસ તંત્ર દ્વારા જાહેર જનતાના હિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને સખત વિનંતી સાથેની એડવાઈઝરી રજૂ કરવામાં આવી છે:દારૂનો તાત્કાલિક નાશ કરવો: જો કોઈ વ્યક્તિ પાસે આ ખાસ પ્રકારની બોટલ અથવા તેના પર દર્શાવેલા સ્ટીકરવાળો દારૂ પડ્યો હોય, તો ભૂલથી પણ તેનું સેવન ન કરવું અને તાત્કાલિક અસરથી તેનો નાશ કરી દેવો.
તબીબી તપાસ કરાવવી: જો કોઈ વ્યક્તિએ નીચે દર્શાવેલી બોટલ અથવા સ્ટીકરવાળા દારૂનું સેવન કર્યું હોય, તો વિલંબ કર્યા વગર તાત્કાલિક નજીકના સરકારી કે ખાનગી દવાખાના/હોસ્પિટલમાં જઈને પોતાની તબીબી ચકાસણી (મેડિકલ ચેકઅપ) કરાવી લેવી.
