રાજસ્થાન જાલૌર સાંચોરમાં ગુજરાતની એસટી બસ અને ગુજરાતની કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. કારમાં સવાર બે રાધનપુરના યુવકો રામદેવરા દર્શન માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન અકસ્માતમાં બંનેના મોત નીપજ્યા છે. ગાંધીવ પુલ પાસે નેશનલ હાઈવે પર આ ટક્કર થતા બે પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
રામજી કી ગોલ પાસે આ અકસ્માત થયો
રાજસ્થાનના બાલોત્રામાં નેશનલ હાઇવે 68 (જૈસલમેરથી પાટણ) પર રોડવેઝ બસ અને સ્વિફ્ટ કાર વચ્ચે અકસ્માત થયો છે.આ અકસ્માતમાં કારમાં સવાર રાધનપુરના બે યુવાનોના મોત થયા છે જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો છે. આ અકસ્માતમાં કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો. શુક્રવારે (28 ઓગસ્ટ) સાંજે 6:30 વાગ્યે ગુડામલાની પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામજી કી ગોલ પાસે આ અકસ્માત થયો હતો. રામજી કી ગોલ ચોકીની પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને કારમાં સવાર બે લોકોને સાંચોર હોસ્પિટલમાં લઈ ગઈ, જ્યાં ડોક્ટરોએ બેને મૃત જાહેર કર્યા.તેમની સાંચોરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.” આ અકસ્માતમાં ભગવાન ભાઈના પુત્ર રાજેશ ભાઈ (30) ને કોઈ ઈજા થઈ નથી. કારમાં સવાર લોકો ગુજરાતના રાધનપુરના હોવાની જાણકારી મળી છે. તેઓ પહેલા બાડમેરના બાયતુ સ્થિત વાડિયાર સેવા કેમ્પમાં સેવા કરવા અને પછી જેસલમેરના રામદેવરા મંદિરના દર્શન કરવા જવાના હતા.
હનુમાન રામે વધુમાં જણાવ્યું કે, ગુજરાત રોડવેઝની બસ બાડમેરથી સાંચોર તરફ જઈ રહી હતી. આ દરમિયાન, તે વિરુદ્ધ દિશામાંથી આવતી સ્વિફ્ટ કાર સાથે અથડાઈ. ટક્કર થતાં જ કારમાં સવાર બે લોકો બહાર ફેંકાઈ ગયા હતા.
