કેન્દ્રીય કર્મચારીઓની ચાંદી જ ચાંદી! 8મા પગાર પંચમાં 6% ઇન્ક્રિમેન્ટનો પ્રસ્તાવ

Spread the love

8th Pay Commission Latest Update: 8મું પગાર પંચ પોતાની ભલામણો સરકારને સોંપવા માટે એક્શન મોડમાં છે. પગાર પંચની એક પછી એક બેઠકો થઈ રહી છે. દરેક બેઠકમાં કર્મચારી સંગઠનો તરફથી અલગ-અલગ પ્રકારની માંગણીઓ કરવામાં આવે છે. આવી જ એક માંગણી વાર્ષિક ઇન્ક્રિમેન્ટને લઈને છે. પ્રાઇવેટ સેક્ટરના ઘણા કર્મચારીઓથી વિપરીત કેન્દ્ર સરકારના કર્મચારીને દર વર્ષે મળતું ઇન્ક્રિમેન્ટ બેઝિક પેનું માત્ર 3% હોય છે.

હવે આ આઠમા પગાર પંચ સામે સૌથી વિવાદિત અને ચર્ચાસ્પદ મુદ્દાઓમાંથી એક બની ગયું છે.

 

કર્મચારી સંગઠનોનું શું કહેવું છે?

કર્મચારી સંગઠનોનું કહેવું છે કે, વર્તમાન વ્યવસ્થામાં આ વધારો મોંઘવારી અને બદલાતી આર્થિક પરિસ્થિતિઓને જોતાં પૂરતો નથી. તેથી તેને વધારીને 5% થી 6% કરવો જોઈએ. ભારતીય પ્રતિરક્ષા મજૂર સંઘ (BPMS) દ્વારા 8મા પગાર પંચ માટે તૈયાર કરાયેલા પોતાના ડ્રાફ્ટ મેમોરેન્ડમમાં વાર્ષિક ઇન્ક્રિમેન્ટને વર્તમાન 3% થી વધારીને 6% કરવાની માંગ કરવામાં આવી છે. જ્યારે, નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી (NCJCM)ના સ્ટાફ પક્ષનો ઇન્ક્રિમેન્ટ પ્રસ્તાવ પણ BPMS ના પ્રસ્તાવ સાથે મેળ ખાય છે.

આ ઉપરાંત, મિનિસ્ટ્રિયલ સ્ટાફ એસોસિએશન (MSA)એ પ્રસ્તાવ આપ્યો છે કે, લાંબા સમય સુધી એક જ પદ પર રહેવા દરમિયાન સતત વૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે વાર્ષિક ઇન્ક્રિમેન્ટ વધારીને 5% પ્રતિ વર્ષ કરવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, MSA સર્વે ઓફ ઇન્ડિયા અને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીમાં ક્લાર્ક કેડરનું પ્રતિનિધિત્વ કરે છે.

હાલમાં કેવી રીતે મળે છે 3% ઇન્ક્રિમેન્ટ?

વર્તમાન વેતન વ્યવસ્થામાં કર્મચારીને દર વર્ષે કેન્દ્રીય કર્મચારીના મૂળ પગાર એટલે કે બેઝિક પેનું 3% ઇન્ક્રિમેન્ટ મળે છે. આ વધારો બેઝિક પેમાં જોડાઈ જાય છે અને ત્યારબાદ આવતા વર્ષનું ઇન્ક્રિમેન્ટ વધેલી બેઝિક સેલરી પર મળે છે. એટલે કે તેની અસર માત્ર એક વર્ષ સુધી સીમિત રહેતી નથી, પરંતુ આગળના વર્ષોમાં પણ જોવા મળે છે. આ જ કારણસર કર્મચારી સંગઠનો ઈચ્છે છે કે ઇન્ક્રિમેન્ટનો દર વધારવામાં આવે.

DA અને ઇન્ક્રિમેન્ટમાં શું તફાવત છે?

કર્મચારી સંગઠનોએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે, મોંઘવારી ભથ્થું (DA) અને વાર્ષિક ઇન્ક્રિમેન્ટનો હેતુ અલગ-અલગ છે. DAનો મુખ્ય હેતુ મોંઘવારી વધવા પર કર્મચારીઓની ખરીદી શક્તિને જાળવી રાખવાનો છે, જ્યારે ઇન્ક્રિમેન્ટનો સંબંધ કર્મચારીના અનુભવ, સેવાના વર્ષો અને વાસ્તવિક આવકમાં વૃદ્ધિ સાથે છે. તેથી કર્મચારી સંગઠનોનું માનવું છે કે, માત્ર DA વધવું પૂરતું નથી. ઉલ્લેખનીય છે કે, 8મું પગાર પંચ આગામી 31 ઓગસ્ટ અને પહેલી સપ્ટેમ્બરે જયપુરમાં બેઠક કરવાનું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *