VIDEO: “દુઃખ અમારું અને દર્દ ભારતને થાય!” નેપાળના સ્વાસ્થ્ય મંત્રી ભાવુક; સંકટની ઘડીમાં ભારતે મદદનો હાથ લંબાવતા આપ્યું મોટું નિવેદન

Spread the love

ભારત અને નેપાળ વચ્ચેના ઐતિહાસિક સંબંધો અને મિત્રતાની પ્રશંસા કરતાં નેપાળના સ્વાસ્થ્ય મંત્રી નિશા મહેતાએ ભારતનો હૃદયપૂર્વક આભાર માન્યો છે. તેમણે બંને દેશો વચ્ચેના સંબંધોને ‘રોટી-બેટી’ અને પારિવારિક ગણાવતા કહ્યું હતું કે ભારત હંમેશા નેપાળના સુખ-દુઃખમાં પડખે ઊભું રહ્યું છે.

 

રસુવા ખાતે મીડિયા સાથે વાતચીત કરતા સ્વાસ્થ્ય મંત્રી નિશા મહેતાએ જણાવ્યું, “આપણા દેશ અને ભારત વચ્ચેનો સંબંધ હંમેશા ‘રોટી-બેટી’ જેવો રહ્યો છે, જે એક અતૂટ પારિવારિક બંધન સમાન છે.ભારત હંમેશા આપણી સાથે રહ્યું છે, પછી ભલે તે આપણો સારો સમય હોય કે મુશ્કેલીનો સમય. આ ભાઈચારો અને પરિવાર જેવો સંબંધ છે. આજે જ્યારે આપણે મુશ્કેલી કે પીડામાં છીએ, ત્યારે સ્વાભાવિક છે કે તે દર્દ ભારત સુધી પણ પહોંચે. અમને હંમેશા એવો અહેસાસ રહે છે કે ભારત અમારી સાથે છે.”

 

તાજેતરની કટોકટીમાં ભારત તરફથી મળેલી વિશેષ સહાયનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું કે, “અત્યારે સૌથી મોટો પડકાર મૃતદેહોના સંચાલન અને ઓળખનો હતો. ભારત સરકાર આ મુશ્કેલ કામગીરીમાં પણ અમારી વહારે આવી છે. ભારતે મૃતદેહોની ઓળખ માટે DNA ટેસ્ટિંગ નિષ્ણાતોની એક વિશેષ ટીમ મોકલી છે. આ સાથે જ, નેપાળમાં DNA મેનેજમેન્ટ માટે નવી પ્રયોગશાળા સ્થાપવામાં પણ ભારત અમને ટેકનિકલ મદદ કરી રહ્યું છે. ભારતની આ નિઃસ્વાર્થ સહાય પ્રત્યે અમારો અભિગમ અત્યંત સકારાત્મક અને આભારપૂર્ણ છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *