આઈઆઈટીઈના 75 વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને વહીવટી પાંખના સભ્યો મળીને રાજભવનથી સાઇકલ રેલી કરશે

Spread the love

ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન– આઈઆઈટીઈ) દ્વારા આવતીકાલ 28 ઑગસ્ટ 2021ના રોજ સવારે 7 કલાકે સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. દેશની સ્વતંત્રતાના 75મા વર્ષની ઉજવણી – ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે આઈઆઈટીઈ દ્વારા આ સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેને ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી રાજભવનથી લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવશે.

આઈઆઈટીઈની સ્ટુડન્ટ સપોર્ટ, કલ્ચરલ એન્ડ વેલ્ફેર બ્રાન્ચ દ્વારા આયોજિત આ સાઇકલ રેલીની માહિતી આપતા એસએસસીડબ્લ્યુબીના વડા ડૉ. મેહુલ દવેએ જણાવ્યું કે, “આઈઆઈટીઈના માન. કુલપતિશ્રી ડૉ. હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આઝાદીના 75 વર્ષની ઉજવણીના પ્રતીકરૂપે આઈઆઈટીઈના વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને વહીવટી પાંખના સભ્યો મળીને કુલ 75 સાઇકલ સવાર આ રેલીમાં ભાગ લેશે અને માન. રાજ્યપાલશ્રી રાજભવન ખાતેથી આ સાઇકલ રેલીને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવશે.”

તેમણે વધુમાં જણાવ્યું કે, “આ સાઇકલ રેલી રાજભવનથી શરૂ થઈને સૂર્યજ્યોત સરોવર, ચ-2, ચ-3, ચ-5થી ખ-5 થઈને આઈઆઈટીઈના સંકુલમાં પૂર્ણ થશે.”

ઉલ્લેખનીય છે કે, સ્વતંત્રતાના 75મા વર્ષની ઉજવણી –‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે આઈઆઈટીઈ દ્વારાઑગસ્ટમાં ત્રીજા આ કાર્યક્રમનું આયોજન થયું છે. 15 ઑગસ્ટના રોજ‘ફ્રીડમ રન 2.0’નું આયોજન કરવામાં આવ્યું હતું અને એ જ દિવસે ગુજરાત ટૅક્નૉલૉજિકલ યુનિવર્સિટીના માન. કુલપતિશ્રી નવીન શેઠ દ્વારા આઈઆઈટીઈ સંકુલમાં આવેલા અભિવ્યક્તિ જ્ઞાન પટલ પર સ્વતંત્રતા સેનાનીઓના વિશાળ ચિત્રનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com