લગ્નમાં નાચવા બાબતે થયેલો ઝઘડો, ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો

Spread the love

સુરતના રાંદેર વિસ્તારમાં રાત્રીના સમયે એક ખૂની ખેલ ખેલાયો. લગ્ન પ્રસંગમાં નાચવા બાબતે ઝઘડો થયો અને આ ઝઘડો હત્યા સુધી પહોચ્યો. મોડી રાત્રીના સમયે ઉગત ઝૂપડપટ્ટીમાં આ બનાવ બન્યો છે. હુમલામાં એક યુવકને છાતીમાં ચપ્પુ વાગ્યુ જ્યારે બીજાને પગના ભાગે ચપ્પુ વાગ્યું હતું. છાતીના ભાગે જે યુવકને ચપ્પુ વાગ્યું છે તે યુવકનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય યુવક ઘાયલ છે. રાંદેર વિસ્તારમાં એક અઠવાડિયામાં આ બીજો હત્યાનો બનાવ બન્યો છે. સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ આરંભી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *