14 વર્ષ બાદ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો ચુકાદો, ઝીણવટભરી તપાસ કરનારા પોલીસ તપાસ અધિકારી

Spread the love

અમદાવાદ બ્લાસ્ટ્સ અને સુરતમાં થયેલા ષડયંત્ર કેસમાં દલીલો થઈ પૂર્ણ
ગણતરીની મિનિટોમાં જ અમદાવાદને લોહિયાળ કરનારી ઘટના ક્યારેય ભૂલી ન શકાય.જે સિરિયલ બ્લાસ્ટના પડઘા આજે પણ અમદાવાદમાં ગુંજી રહ્યા છે 14 વર્ષની કાયદાકીય લાંબી લડત બાદ અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટની સ્પેશિયલ કોર્ટ ચુકાદો આપે તેવી સંભાવના છે ત્યારે આ 14 વર્ષની કાયદાકીય લડત પીડિત પરિવાર ન્યાયની આશા રાખીને બેઠો છે
26 જુલાઇ 2008નો એ દિવસ
26 જુલાઈ 2008માં થયેલા અમદાવાદના સિરિયલ બોમ્બ બ્લાસ્ટને કોઈ ભૂલી શકે?.આ બ્લાસ્ટને આજે પણ યાદ કરીએ તો આંખમાંથી આંસુ સરી પડે છે.ત્યારે એ પરિવાર પર શું વીતતી હશે જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે.14 વર્ષ પછી પણ પરિવારજનોને ન્યાયની આશા જીવંત દેખાઈ રહી છે.અમદાવાદના અસરવામાં રહેતા વ્યાસ પરિવાર ચુકાદા અને ન્યાય પાલિકા પર આશા રાખીને બેઠો છે.સિવિલ બ્લાસ્ટમાં આ પરિવારે 8 વર્ષનો ભાઈ રોહન વ્યાસ અને પિતા દુષ્યંત વ્યાસને ગુમાવ્યા હતા.
જ્યારે ધણધણી ઉઠ્યું હતું અમદાવાદ
26 જુલાઇ 2008ના રોજ અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થયા હતા
અમદાવાદમાં 20 જગ્યાએ બ્લાસ્ટ થયા હતા
સિરિયલ બ્લાસ્ટમાં 58 લોકોના મોત, 200થી વધુ ઘાયલ થયા હતા
ઇન્ડિયન મુઝાહિદ્દિને લીધી હતી હુમલાની જવાબદારી
મુફ્તિ અબુ બશીર, અન્ય 9 આરોપી બ્લાસ્ટના મુખ્ય આરોપી
બ્લાસ્ટ પહેલા મીડિયા સંસ્થા પર ઇ-મેઇલ કરવામાં આવ્યો હતો
ઇ-મેઇલ મળ્યાના પાંચ જ મિનિટમાં અમદાવાદમાં બ્લાસ્ટ થયા હતા
બ્લાસ્ટ માટે ટિફિન બોમ્બ, સ્કુટર અને કારનો ઉપયોગ થયો હતો
અમદાવાદમાં હાટકેશ્વર સર્કલ પર બજારમાં મોટો બ્લાસ્ટ થયો હતો
અમદાવાદ સિવિલ અને એલજી હોસ્પિટલને પણ નિશાન બનાવી હતી
AMTS બસમાં પણ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો
બ્લાસ્ટમાં આરોપીઓને અલગ પ્રકારની મોડ્સ ઓપરેન્ડી અપનાવી હતી
ત્રાસવાદીઓએ ઇજાગ્રસ્તને ટાર્ગેટ કરવા હોસ્પિટલમાં બ્લાસ્ટ કર્યો હતો
14 વર્ષે હજુ પણ ન્યાયની આશા
અમદાવાદ સિવિલમાં સૌથી મોટો બ્લાસ્ટ થયો હતો.જેમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. પહેલો બ્લાસ્ટ સિવિલ હોસ્પીટલના ટ્રોમાં સેન્ટર માં થયો હતો.આ સમાચાર સાંભળતા જ અનેક સેવાભાવી લોકો સેવા માટે સિવિલમાં દોડી ગયા હતા.પણ આ સેવાભાવી લોકો માટે આ સેવા અંતિમ સેવા બની રહી હતી.શહેરના અસારવા વિસ્તારમાં રહેતા પટેલ પરિવારના જસવંત પટેલ સેવા કરવા ગયા અને ત્યાં જ તેમણે પોતાનો જીવ ગુમાવ્યો.પરિવારે શું જોયું તે સાંભળો.
અમદાવાદમાં ક્યાં થયા હતા બ્લાસ્ટ?
હાટકેશ્વર સર્કલ
બાપુનગર
ઠક્કરબાપાનગર
જવાહર ચોક
સિવિલ હોસ્પિટલ
એલજી હોસ્પિટલ
મણિનગર
ખાડિયા
રાયપુર
સારંગપુર
ગોવિંદવાડી
ઇસનપુર
નારોલ
સરખેજ
ધડાધડ બ્લાસ્ટથી ધ્રુજી ઉઠ્યું હતું શહેર
અમદાવદા માં અલગ અલગ 10થી વધુ સ્થળે બ્લાસ્ટ થયા હતા.જેમાં સિવિલ હોસ્પિટલ પણ બાકાત ન હતી.એલ.જી.હોસ્પિટલ અને સિવિલ હોસ્પીટલમાં થયેલા બ્લાસ્ટને કારણે દર્દીઓ હોસ્પીટલમાં સારવાર લેવા જવામાં પણ ડરતા હતા.તે સમયે અમદાવાદ સિવિલ હોસ્પીટલના સુપ્રીમટેન્ડ એમ.એમ.પ્રભાકરના હતા.
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ
57 લોકોના થયા હતા મૃત્યુ
244 ઈજાગ્રસ્ત થયા હતા
14 વર્ષે ચુકાદો
દોષિતોની સંખ્યા 77
1163 સાક્ષીના નિવેદન લેવાયા
521 આરોપીઓ સામે ચાર્જશીટ
3,47,800 નિવેદન નોંધાયા
જ્યારે અમદાવાદ ધ્રુજી ઉઠ્યું ત્યારે અનેક પ્રત્યક્ષ દર્શીઓમાં એક હતા હાલના કેબિનેટ મંત્રી પ્રદીપ પરમાર.તેઓ પણ સેવા કરતા ઈજાગ્રસ્ત થયા હતા.ત્યારે તેમને એટલી ગંભીર ઈજાઓ થઈ હતી કે તેમને પગ કપાવવો પડે તેમ હતો.પરંતુ સદનસીબે તત્કાલિક સારવારને કારણે પગ બચી.પણ તેઓ લાંબો સમય સુધી પથારીવશ રહ્યા હતા.26 જાન્યુઆરી 2008ના દિવસે બનેલી આ ઘટનાને ક્યારેય ભૂલી શકાય તેમ નથી.હવે આપણે સૌ ન્યાયતંત્ર પર આશા રાખીએ કે પીડિતોને ન્યાય મળે અને આના અપરાધિઓને કડકમાં કડક સજા થાય.
કયા પોલીસ અધિકારીઓ તપાસ ટીમમાં હતા?
આશિષ ભાટીયા
અભય ચુડાસમા
ગિરીશ સિંઘલ
હિમાંશુ શુક્લા
વી આર ટોળીયા
મયુર ચાવડા
રાજેન્દ્ર અસારી
ઉષા રાડા
દિલીપ ઠાકોર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com