કૉંગ્રેસના દિનેશ શર્માએ આજે કમલમ ખાતે કેસરિયો ખેસ ધારણ કર્યો

Spread the love

 

અમદાવાદ

વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ સતત તૂટી રહી છે. કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ અને બહુચરાજી કોંગ્રેસના નેતાઓ બાદ હવે અમદાવાદ મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષના નેતા દિનેશ શર્માએ પણ કેસરિયો ખેસ ધારણ કર્યો છે. દિનેશ શર્મા તેમના કાર્યકરો સાથે ભાટ નજીક નારાયણી ફાર્મથી રેલી સ્વરૂપે ગાડીઓ અને બાઇકના કાફલા સાથે કમલમ પહોંચ્યા. દિનેશ શર્માએ તાજેતરમાં જ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું..તેમણે ભાજપના પ્રદેશ અઘ્યક્ષ સી આર પાટીલ સાથે મુલાકાત કરી હતી… કોંગ્રેસમાંથી રાજીનામું આપતાં પહેલાં દિનેશ શર્માએ જણાવ્યું હતું કે હું છેલ્લાં ઘણાં સમયથી કોંગ્રેસ પક્ષની કાર્ય પ્રણાલીથી અને નિર્ણાયક શક્તિના અભાવે થઈ રહેલ રાજકીય નુકસાનને હવે સ્વમાનના ભોગે સહન કરી શકું તેમ નથી.અનેકવાર પક્ષને કુંભકર્ણ નિંદ્રામાંથી જગાડવા અને પક્ષના સંગઠનને મજબૂત કરવા ત્વરિત નિર્ણય શક્તિ બતાવવા માટે પક્ષને અનેક સકારાત્મક સૂચનો કરતો આવ્યો છું… છતાં પણ પરિણામ શૂન્ય જ રહેતા છેલ્લા વિકલ્પ તરીકે કોંગ્રેસ પક્ષને અલવિદા કહેવું જ યોગ્ય માનીને નવી દિશા અને માર્ગે આગળ વધી રહ્યો છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com