યુક્રેનમાં ૧૨ લાખ બેઘર ઃ ઇમારતો – શાળા – ઘર વિસ્તારો તબાહ

Spread the love

રશિયન હુમલાથી યુક્રેન ધ્રુજી ઉઠ્‌યું છે. છેલ્લા ૧૦ દિવસથી રાજધાની કિવ સહિત યુક્રેનના અનેક શહેરોને રશિયન સેનાએનિશાન બનાવી છે. અનેક સરકારી ઇમારત, શાળા, ઘર, બધુજતબાહ થઇ ગયું છે. ૧૨ લાખ લોકો બેઘર થઇ ગયા છે. અનેક નિર્દોષ લોકોના જીવ ગયા છે. હજારો લોકોને ઇજા પહોંચી છે. રશિયા તેમના હુમલાથી યુક્રેન સમૃદ્ધ શેરોને ખંડેર બનાવી દીધા છે. પરંતુ હજુ પણ યુદ્ધવિરામ થવાનું નામ લઇ રહ્યું નથી. જંગના ૧૦ દિવસ યુક્રેન માટે તબાહી લાવનારા બન્યા છે.કિવ પર નિયંત્રણ માટેની લડાઈ આ યુદ્ધનો અંતિમ વળાંક હશે. કિવ ઉપરાંત યુક્રેનના ઘણા શહેરોમાં રશિયન સૈનિકો હાજર છે. રશિયન સૈન્ય કાં તો શહેરો પર નિયંત્રણ લઈ રહ્યું છે અથવા તેનો નાશ કરી રહ્યું છે. કિવની શેરીઓમાં હજી સુધી કોઈ રશિયન ટાંકી નથી. પરંતુ રશિયન ટેન્કો, રોકેટો અને મિસાઈલોએ યુક્રેનના ઘણા શહેરોને મોટા પાયે નષ્ટ કરી દીધા છે.રશિયાની સેના યુક્રેનની રાજધાની કિવની આસપાસ પહોંચી ગઈ છે. પરંતુ કિવ પર કબજાે મેળવવો સરળ નથી. નિષ્ણાતો માને છે કે જાે કિવને પકડવામાં નહીં આવે તો યુદ્ધ ઘણા દિવસો સુધી ખેંચાઈ શકે છે. કિવ પર યુદ્ધની શરૂઆતથી જ રશિયન સેના કિવ પર હુમલો કરી રહી છે. સ્થિતિ એવી છે કે રશિયન હુમલાને કારણે અહીંની ઘણી ઇમારતો અને મકાનો ખંડેરમાં ફેરવાઈ ગયા છે.ખાર્કિવ યુક્રેનનું બીજું સૌથી મોટું શહેર છે. અહીં રશિયન સેનાએ કબજાે મેળવી લીધો છે. પરંતુ શહેરના લોકોએ આ નિયંત્રણની કિંમત ચૂકવવી પડી હતી. બોમ્બ ધડાકામાં ઈમારતો ધરાશાયી થઈ ગઈ અને લોકોના ઘરો નાશ પામ્યા. હવાઈ હુમલાથી લઈને જમીની યુદ્ધ પણ અહીં ચાલી રહ્યું છે. ખાર્કિવ એટલું મહત્વનું છે કે યુએસએસઆરના સમય દરમિયાન તે પ્રથમ રાજધાની હતી, પરંતુ ૧૯૩૦ પછી, કિવને રાજધાની બનાવવામાં આવી.રશિયા દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે તેણે યુક્રેનના ખેરસન શહેર પર કબજાે કરી લીધો છે. રશિયન સેનાએ શહેરના રેલવે સ્ટેશનથી ખેરસન નદીના બંદર પર કબજાે કરી લીધો છે. આ શહેર ફક્ત રશિયા દ્વારા નિયંત્રિત ક્રિમિયાની નજીક જ છે. ખેરસનની વસ્તી ૨ લાખ ૮૦ હજાર છે.રશિયન સૈનિકો યુક્રેન પર એવી રીતે હુમલો કરી રહ્યા છે કે લશ્કરી ઠેકાણાઓ સિવાય તેઓ શહેરી વિસ્તારોને પણ નિશાન બનાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ રશિયાએ પણ યુક્રેનના વોઝનેસેન્સ્ક પર રશિયન સૈનિકો પર ભારે બોમ્બમારો કર્યો હતો. અહીં એક પુલ તોડી પાડવામાં આવ્યો હતો.રશિયા યુક્રેનના ઓડેસા પર સતત બોમ્બમારો કરી રહ્યું છે, અહીં તેણે પોતાના પેરાટ્રુપ્સ પણ ઉતાર્યા છે. અહીં રશિયન સેના હુમલો કરી રહી છે.રશિયાએ જે રીતે ખાર્કિવનો નાશ કર્યો. તે જ રીતે તેણે ચેર્નિહાઇવ પર વિનાશ વેર્યો. વિસ્ફોટોમાં ૪૦ થી વધુ લોકોના મોત થયા હતા. ભવ્ય ઈમારતોનું શહેર હવે પ્રાચીન ખંડેર જેવું લાગે છે. રશિયાએ ચેર્નિહાઇવમાં એટલા બોમ્બ વરસાવ્યા છે કે લોકો પાસે બચવાનો પણ સમય નથી. વિસ્ફોટોનો પડઘો કેટલાય કિલોમીટર સુધી સંભળાયો હતો. તમને જણાવી દઈએ કે રશિયાએ ચેર્નિહિવમાં ક્લસ્ટર બોમ્બ ફેંક્યા છે. એટલે કે, એક સાથે ૫ બોમ્બ ફેંકો જેથી બધું નાશ પામે.રશિયન સૈન્યએ પણ માર્યુપોલને છોડ્‌યો ન હતો. અહીં રહેણાંક વિસ્તારમાં બોમ્બ વિસ્ફોટના સ્થળે આગ અને ધુમાડો જાેઈ શકાય છે. લોકો કાંતો પોતાના ઘરોમાં છુપાયેલા છે અથવા તો દેશ છોડીને પડોશી દેશોમાં આશરો લીધો છે. તે જ સમયે, એનર્હોદર શહેરની શેરીઓમાં રશિયન લશ્કરી કાફલો દેખાય છે. શહેરમાં બચી ગયેલા લોકો છે, જેઓ બારીઓમાંથી લશ્કરી કાફલાનો વીડિયો બનાવતા જાેવા મળે છે.રશિયા તરફથી સ્?પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે યુક્રેનને ક્યારેય એટમ બોમ્બ મેળવવાની પરવાનગી નહીં આપે. એમ પણ કહ્યું કે ત્રીજું વિશ્વ યુદ્ધ ખૂબ જ વિનાશક અને પરમાણુ હુમલો હશે. સાથે જ ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે યુક્રેન શરણાગતિ સ્વીકારે, અમેરિકાથી ગેરમાર્ગે ન દોરાય.તે જ સમયે, રશિયન સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે કિવ, ખાર્કિવ, સુમી, ચેર્નિહાઇવ અને મેરીયુપોલમાં સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. યુક્રેનમાં સ્થિતિ ગંભીર છે. તે જ સમયે, હવે પરિસ્થિતિ ઝડપથી બગડી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com