ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલનો ૧૬/૦૩/૨૦૨૨ ( બુધવાર) ના રોજ જન્મદિન હતો. ત્યારે આ જન્મદિને રાજ્યમાં અનેક કાર્યકરો દ્વારા ભૂખ્યાને ભોજન, બાળકોને રમવાના રમકડા થી લઈને અનેકવિધ ચીજ વસ્તુઓ આપવામાં આવી હતી. ત્યારે CR ના ભામાસા તરીકે પ્રચલિત અને પૂર્વ ડેપ્યુટી મેયર, ભાજપ પ્રદેશ, ઓ.બી.સી સેલ ના ઉપાધ્યક્ષ નાઝાભાઈ ધાંધર દ્વારા ઝુપડા, છાપરામાં રહેતા હજારો બાળકો, મહિલાઓને તથા જે બાળકો કુપોષિત તથા મહિલાઓ કુપોષિત છે, તે સૌ માટે પોષણક્ષમ આહાર,ફૂડ પેકેટ, ઉનાળાની ગરમીની ઋતુમાં ચંપલ સાથે ની કીટ આપવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર આ પ્રસંગે ભાજપના મંત્રી શ્રી ( અન્ન અને નાગરિક પુરવઠા) ના નરેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ પ્રસંગે નરેશ પટેલનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત માં OBC સેલ ના મહામંત્રી મયંક નાયક, પૂર્વ નગરસેવક નીતિન પટેલ, કાર્તિક પટેલ, ભાજપના વિનોદ ઉદેચા તથા મેયર,ડે.મેયર,સ્ટે. કમિટીના ચેરમેન પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ગુજરાત સરકાર મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે દરેક ગરીબ પરિવારને બે રૂપિયે કિલો ચોખા, ૧ કિલો તેલ આપવામાં આવી રહ્યું છે. અને લોકડાઉન માં જે કીટ ભોજન ની આપવામાં આવેલ તે વાતનો પણ ઉલ્લેખ કરેલો હતો. આ પ્રસંગે ભાજપ પ્રદેશ ઓ.બી.સી ના મહામંત્રી મયંક નાયકે પણ બાળકોને પોતાના હાથથી કીટ આપીને ધન્યતા અનુભવી હતી, ત્યારે નાઝાભાઇ ધાંધર દ્વારા મયંક નાયક ની ચર્ચા કરતા જણાવેલ કે અનેક લોકોની સેવામાં મહત્વનો
ફાળો રહેલો છે.ત્યારે GJ-18ની સેવા વસ્તી ની વિવિધ જગ્યાએ કીટ આપવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો હતો.