કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન 2 અથવા 3 એપ્રિલે અમદાવાદમાં રોડ શો કરશે

Spread the love

અમદાવાદ

આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં આવનારી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એપ્રિલના પહેલા અઠવાડિયામાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માનનો અમદાવાદમાં કાર્યક્રમ યોજાશે. 2 અથવા 3 એપ્રિલે આમ આદમી પાર્ટીના કેજરીવાલ અને માન અમદાવાદ આવશે. અમદાવાદમાં દિલ્લી અને પંજાબના મુખ્યમંત્રીનો મોટો રોડ શો અથવા પ્રંચડ રેલી કરવાનું આયોજન છે.પંજાબમાં આમ આદમી પાર્ટીએ જ્વલંત વિજય મેળવી ઇતિહાસ રચી દીધો. પંજાબમાં આમ આદમી પાર્ટીએ વિપક્ષના સૂપડા સાફ કરી નાખ્યા. દિલ્હી બાજ પંજાબ એવું બીજું રાજ્ય બન્યું છે જ્યાં આમ આદમી પાર્ટીએ સરકાર બનાવી હોય.હવે પંજાબ બાદ AAPની નજર દેશમાં આવનારી વિધાનસભા ચૂંટણી પર રહેશે, જેમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીનો પણ સમાવેશ થાય છે. આવનારી ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટી પોતાને મજબૂત કરવા તરત જ કવાયત હાથ ધરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com