આજે ઢોર નિયંત્રણ બિલ વિધાનસભા માં લાવ્યા બાદ માલધારી સમાજ માં રોષ હતો, માલધારી સમાજ ના તમામ આગેવાનો પાર્ટી ના અધ્યક્ષ પાટીલ અને મુખ્યમંત્રી તેમજ શહેરી વિકાસ મંત્રી ને મળ્યા હતા.
સરકારે હાલ પૂરતો આ બિલ મોકૂફ રાખવામાં આવશે તેવો ર્નિણય કર્યો છે..હજુ સુધી એવી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. બિલ સુધારો માટે આગામી સમયમાં સમાજ સાથે બેસીને ર્નિણય કરીશું..બધાનો યોગ્ય નીરકારણ તેમજ વૈકલ્પિક વ્યવસ્થા ના થાય ત્યાં સુધી કાયદો મોકુફ રાખવાનો ર્નિણય કર્યો છે.આજે ખૂબ લાંબી ચર્ચા બાદ.. માલધારીઓ ને કે શહેરી જનો ને કોઈ તકલીફ ન પડે તે પ્રમાણે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે. જે પરિવારો શહેરો માં રહે છે..તેમની પાસે ઢોર રાખવાની જગ્યા નથી એવા લોકો ને આઇડન્ટીફાઈ કરી તેવા લોકો ને શહેર ની બહાર કોઈ વસાહત માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે..