ડો.બાબા સાહેબ આંબેડકરની ૧૩૧ મી જન્મ જયંતિ નિમિત્તે શ્યામ સત્ય બંગ્લોઝ ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા

Spread the love

 

અમદાવાદ

બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડો.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની તા.૧૪.૦૪.૨૦૨૨ ની જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે શ્યામ સત્ય બંગ્લોઝ, ચાંદખેડા ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કોરોનાની માર્ગદર્શિકા અનુસાર કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમના સંદર્ભમાં રમત ગમત ક્ષેત્રે ઉત્સાહ વધારવાના હેતુથી ફુટબોલની રમત, વોલીબોલની રમત, લિમ્બુ ચમચી, દોડ, ફ્રોગ જમ્પીંગ જેવી વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવેલ, જેમાં વિજેતાઓને અલગ અલગ ઈનામ એનાયત કરવામાં આવેલ. ઉપરાંત, ડો.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના જીવન ચારિત્ર્ય આધારિત જયભીમ ફિલ્મનું નિદર્શન પણ કરવામાં આવેલ જેમાં સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા.

શ્યામ સત્ય બંગ્લોઝ સોસાયટીના તમામ રહીશોની ઉપસ્થિતિમાં ડો.બાબા સાહેબ આંબેડકરના ફોટાનું ફુલહાર વિધિ સોસાયટીના પ્રમુખ જયંતિભાઈ સોલંકી દ્વારા કરવામાં આવેલ તેમજ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સોસાયટીના મંત્રી અરવિંદભાઈ વાઘેલાના અથાગ પ્રયત્નોથી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્યામ સત્ય બંગ્લોઝની સોસાયટીના મોટી સંખ્યામાં રહીશો ઊપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com