આમ આદમી પાર્ટી 15 જૂનથી ગુજરાતમાં વીજળી આંદોલન શરૂ કરશે : આપ પ્રમુખ ગોપાલ ઈટાલિયા

Spread the love

 

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા , નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી અને નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈન્દ્રનીલ રાજ્યગુરૂ

 

15મી જૂને આમ આદમી પાર્ટી કલેક્ટરને આવેદનપત્ર આપીને તમામ જિલ્લામાં મફત વીજળીની માંગ કરશે

આજે દેશમાં માત્ર દિલ્હી અને પંજાબ જ એવા રાજ્યો છે જ્યાં જનતાને મફત વીજળી આપવાનું કામ ચાલી રહ્યું છે

અમે જનતાને મફત વીજળીનો અધિકાર આપવા માંગીએ છીએ અને આપીને રહીશું

અમદાવાદ

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી અને નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈન્દ્રનીલ રાજ્યગુરુની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ એક મહત્વના મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, ગઈકાલે આમ આદમી પાર્ટીએ એક મજબૂત સંગઠનની જાહેરાત કરી અને અભિનંદન આપું છું કે ગુજરાતમાં સૌ પદાધિકારીઓના સહકારથી થી આમ આદમી પાર્ટી સરકાર બનાવશે. આગામી સમયમાં અમે બીજી સંગઠનની યાદી પણ બહાર પાડીશું. તમામ સક્ષમ લોકોને તેમની ક્ષમતા મુજબ કામ આપવામાં આવે, આ તરફ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.અરવિંદ કેજરીવાલની સરકારે દિલ્હીમાં વીજળી, પાણી, શિક્ષણ, આરોગ્ય જેવા તમામ મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં શાનદાર કામ કર્યું છે. આજે દિલ્હી સરકાર સમગ્ર દેશના લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવામાં સફળ રહી છે. છેલ્લા દિવસોમાં અમે શિક્ષણનો મુદ્દો ઉઠાવ્યો હતો. અમે શિક્ષણનો મુદ્દો ઘરે-ઘરે લઈ ગયા અને આ શિક્ષણ આંદોલનમાં હજારો-લાખો લોકો જોડાયા. આનાથી ગુજરાતની ભાજપ સરકાર પર દબાણ વધ્યું અને આ ઉપરાંત ગુજરાતમાં શિક્ષણ પર રાષ્ટ્રીય વર્ગ પરિષદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આજે આખો દેશ જાણે છે કે અરવિંદ કેજરીવાલની સરકાર લાંબા સમયથી દિલ્હીના લોકોને 200 યુનિટ સુધી મફત વીજળી આપી રહી છે અને પંજાબમાં 300 યુનિટ સુધી મફત વીજળી આપવાની યોજના ટુંક સમયમાં અમલમાં આવશે. અરવિંદ કેજરીવાલે એક દાખલો બેસાડ્યો છે કે જો સરકાર ઈમાનદાર હોય અને સરકાર લોકો માટે કામ કરવા માટે પ્રતિબદ્ધ હોય તો સરકાર કોઈપણ મુશ્કેલ કામ કરી શકે છે. જો અરવિંદ કેજરીવાલની દિલ્હી અને પંજાબ ની સરકાર લોકોને મફત વીજળી આપી શકે છે તો ગુજરાતમાં ભાજપ સરકાર મફત વીજળી કેમ નથી આપી શકતી? ગુજરાતમાં વીજળીના ભાવ ના નામે લોકો કેમ લૂંટાય છે? આ લુંટમાંથી પ્રજાને બચાવવા અમે આવનારા સમયમાં વીજળીના મુદ્દે આગળ વધવાના છીએ.

15મી જૂનથી આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં વીજળી નું આંદોલન શરૂ કરવા જઈ રહી છે. 15મી જૂને ગુજરાતની આમ આદમી પાર્ટી દરેક જિલ્લામાં પત્રકાર પરિષદ યોજી મોટી માત્રામાં કલેક્ટર કચેરીમાં જઈને કલેક્ટરને આવેદન આપશે અને ગુજરાતની જનતાને પણ મફત વીજળી મળે તેવી માંગ કરશે. 16મી જૂનથી 24મી જૂન સુધી સમગ્ર ગુજરાતમાં વીજળીના મુદ્દે ભવ્ય લોકસંપર્ક કાર્યક્રમ યોજાશે. તમામ જિલ્લાઓ અને મહાનગરોમાં આમ આદમી પાર્ટીના તમામ રાજ્ય અને જિલ્લા અધિકારીઓના નેતૃત્વમાં રેલી, પદયાત્રા, મશાલ યાત્રા જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે અને આ કાર્યક્રમો દ્વારા વીજળીના મુદ્દાને લોકો સુધી પહોંચાડવામાં આવશે. આમ આદમી પાર્ટી ગુજરાતના 1-1 નાગરિકો નો અભિપ્રાય જાણશે અને આ માટે “માંગણી પત્રક” ભરવામાં આવશે. આ ‘માંગણી પત્રક’ દ્વારા ગુજરાતના હજારો કાર્યકર્તાઓ દ્વારા લોકોના અભિપ્રાય લેવામાં આવશે. મોંઘી વીજળી વિશે તેઓ શું જાણે છે અને શું ઇચ્છે છે તે લોકો પાસેથી જાણવામાં આવશે.

આમ આદમી પાર્ટી હંમેશા લોકોના જીવન સાથે જોડાયેલા મુદ્દાઓ પર કામ કરતી રહી છે. આથી આગામી સમયમાં અમે પુરી તાકાતથી વીજ આંદોલન ચલાવીશું. અમે ભાજપને કહેવા માંગીએ છીએ કે અમારા આંદોલનને દબાવવા માટે તમે અમારા નેતાઓ અને કાર્યકર્તાઓ પર ગમે તેટલો અત્યાચાર કરવા માંગો છો તે કરી શકો છો. આમ આદમી પાર્ટી સંપૂર્ણ માનસિક તૈયારી સાથે અને સંપૂર્ણ તાકાત સાથે લડાઈ લડવાનું મન બનાવી મેદાનમાં ઉતરશે.

હું ગુજરાતની જનતાને અપીલ કરવા માંગુ છું કે તમે બધા અમારા આંદોલનમાં જોડાઓ અને ગુજરાતની જનતાને ભાજપ મોંઘી વીજળી થી મુક્ત કરે. અમે જનતાને મફત વીજળીનો અધિકાર આપવા માંગીએ છીએ અને આપીને રહીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com