PM નરેન્દ્ર મોદીની માતા હીરાબાનો 18 જૂને 100મો જન્મદિવસ : ગાંધીનગરમાં મોદી આશિર્વાદ લેશે 

Spread the love

વડનગરના હાટકેશ્વર મંદિરમાં પૂજા રાખવામાં આવી છે, જેમાં મોદી પણ હાજરી આપશે તેવી શક્યતા

ગાંધીનગર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા 18 જૂને 100 વર્ષના થશે. આ ખાસ દિવસે પીએમ મોદી પણ તેમની સાથે રહેશે. હીરાબાના 100મા જન્મદિવસે વડનગરના હાટકેશ્વર મંદિરમાં પૂજા રાખવામાં આવી છે, જેમાં પીએમ પણ હાજરી આપશે તેમ માનવામાં આવે છે. આ પ્રસંગે તેમના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે સુંદરકાંડ, શિવ પૂજા અને ભજન સંધ્યાનો ત્રિવેણી કાર્યક્રમ યોજાશે.તેમના જન્મદિવસ નિમીતે મોદી હીરાબા ના આશિર્વાદ લેશે અને પુજામાં જોડાશે.

આગામી 17 અને 18 જૂને પીએમ મોદી ગુજરાતની મુલાકાત લેશે. પીએમ મોદીના પ્રવાસની વાત કરીએ તો તેઓ 17મી જૂને ગાંધીનગરના રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે. ત્યારબાદ બીજા દિવસે એટલે 18 જૂને તેઓ યાત્રાધામ પાવાગઢની મુલાકાતે જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *