પાંજરાપોળ ચાર રસ્તા પર અકસ્માત, મહિલાનું ઘટના સ્થળે મોત

Spread the love

પાંજરાપોળ ચાર રસ્તા પાસે અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં પતિ સાથે જઈ રહેલાં વૃદ્ધાનું ઘટનાસ્થળે જ મોત થયું છે. આ જ જગ્યાએ અકસ્માતનો બીજો બનાવ બનવાથી લોકોમાં આક્રોશ જોવા મળ્યો. મળતી માહિતી અનુસાર સુભદ્રાબેન લક્ષ્મણભાઈ ચોક્સી નામના મહિલા આજે બપોરે 12.30 કલાકના અરસા દરમિયાન તેમના પતિ સાથે યુનિવર્સિટી થી નહેરુનગર જઈ રહ્યાં હતા તે દરમિયાન પાંજરાપોળ ચાર રસ્તા નજીક ડમ્પરની અડફેટે આવતા મહીલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. મૃતક મહિલા નીલકંઠ એલીદગન્ટ, રેડિયો મીર્ચિર રોડ, સેટેલાઈટ ખાતે રહે છે. અકસ્માતના સ્થળેથી જ રામબારાઈ ચૌહાણ ડમ્પર ચાલક ભાગવાની કોશિશ કરી હતી પરંતુ ત્યાં હાજર લોકોએ ડમ્પર ચાલકને ઝડપી પાડ્યો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ડમ્પર ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અગાઉ 21 નવેમ્બરનાં રોજ આ જગ્યાથી માત્ર 10 ફુટ દુર બે સગ્ગા ભાઈને BRTSએ અડફેટે લેતા તેમના મોત થયાં હતા. જે બાદ આ જ સ્થળે ફરી અકસ્માતની ઘટનાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com