ઇન્દ્રોડા ના ગ્રામજનો સ્વચ્છતા અભિયાનમાં જાેડાઈને સાફ-સફાઈ કરી રહ્યા છે
રાજ્યમાં તહેવારો આવે એટલે રંગે ચંગે પ્રજાજનો મેદાનમાં ઉતરે છે, જે ભગવાન પ્રત્યે આદરભાવ લાગણી જે બતાવતા હોય છે બાદમાં આ દશા જાેઈને ઘણું જ દુઃખ થાય છે ત્યારે આવનારા દિવસોમાં ગણેશ ચતુર્થી પણ આવી રહી છે હમણાં દશામાનો વ્રત પૂર્ણ થતા લોકોએ માતાજીની મૂર્તિઓ ઇન્દ્રોડા ખાતેઆવેલા સંત સરોવર ખાતે મૂર્તિ પધરાવવા મોટી સંખ્યામાં ભક્તજનો આવી ગયા હતાત્યારે મૂર્તિઓની આ દશા
જાેઈને હે ભગવાન આ શબ્દ અનેક લોકોના મોઢામાંથી નીકળી રહ્યો છે
ઇન્દ્રોડા ગામના ગ્રામજનો અને યુવાનો દ્વારા ઠેર ઠેર પથરાયેલી મૂર્તિઓને સુવ્યવસ્થિત આયોજન કરી ને સંત સરોવરની સ્વચ્છતા રહે તે ઉદ્દેશથી તમામ મિત્ર મંડળ દ્વારા સાફ-સફાઈ કરીનેઆયોજન કર્યું હતું.
મહાનગરપાલિકાતંત્રની જવાબદારી છે,જે વિસ્તાર મહાનગરપાલિકાના હસ્તક આવે છે ત્યારે હજુ ધ્યાન ન આપેલ તંત્રએ હવે ગણેશ ચતુર્થી આવે છે ત્યારે ધ્યાન આપે તેવી લોકોની માંગણી ઉઠવા પામી છે