ચારણોનું ‘ભાડલા’ ગામ પંચાલ પ્રદેશનું રત્ન ગણાય છે : ગામનું નામ ‘ભા + દલા’ પડ્યું ‘ભાડલા’

Spread the love

 

ભાડલા ગામ વાવની ભૂતપ્રેત પ્રવૃત્તિઓને કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત છે : ગામમાં ગેલમાતાજીનું પૌરાણિક મંદિર આવેલું છે.

અમદાવાદ

ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા કુલ ૧૧ તાલુકાઓ પૈકીના એક એવા જસદણ તાલુકામાં આવેલું એક ગામ છે.બ્રિટિશ શાસન સમયે ભાડલા ગામ એ જ નામના ગામોના સમૂહનું મુખ્ય ગામ હતું અને આટકોટની જેમ જ કાઠીઓનું શાસન ધરાવતું હતું પરંતુ મેરામણ ખવાસના સમયમાં નવાનગર રજવાડા હેઠળ આવ્યું હતું. ભાડલામાં વિશાળ ઘાસના મેદાનો આવેલા છે જે સારા વરસાદી વર્ષ દરમિયાન આશરે ૧,૦૦,૦૦,૦૦૦ ઘાસનાં પૂળાઓનું ઉત્પાદન કરે છે. ભાડલા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.જસદણ તાલુકો અને રાજકોટ જિલ્લોનું ભાડલા ગામ નારા વંશની જાફવા શાખાના બેરોનું ગામ છે.આ ગામનું પ્રાચીન નામ ‘ભદ્રપુરી’ હતું પરંતુ કુવાડવા ગામના બારણ દલભાએ યુદ્ધમાં જાફવાને રામાણી શાખાના ખાચર કાઠી દરબારોને મદદ કરી હતી, જેના કારણે કાઠીઓએ આ ગામ તેમને આપ્યું હતું. દલભાએ તેનું પુનઃસ્થાપન કર્યું, આ કારણોસર તેનું નામ બારન દલભા રાખવામાં આવ્યું છે.આ શબ્દોના ક્રમ પ્રમાણે ગામનું નામ ‘ભા + દલા’ પડ્યું ‘ભાડલા’. આ ગામ તેની ભૂતપ્રેત પ્રવૃત્તિઓને કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત છે. આ ગામ વિશે એક કપલ છે કે ” ભૂતે ગામ ભાડે રાખ્યું, જેણે કૂવો ભાલો કર્યો ”

પૂનરાવભા જીવાભા જાફા ઉર્ફે ‘પૂનરાવ એકલિયો’, પ્રખ્યાત ચારણ બળવાખોરો/બહારવટીઓ કે જેમણે સમગ્ર ભારતમાં કોઈ પણ ટોળકી વિના એકલા હાથે લૂંટ ચલાવી હતી, તે પણ આ ગામના જ હતા.

વિષ્ણુખાખી સંપ્રદાયના મહાન સંત 1008 શ્રી જનાર્દનદાસ મહારાજ પણ પૂર્વાશ્રમમાં આ ગામના મૂળુભા જાફવા નામના કોઠાર હતા.આ ગામમાં ગેલમાતાજીનું પૌરાણિક મંદિર આવેલું છે. ગેલીમાતાએ અનેક પ્રકારના પરચા પણ આપેલા છે. ગોદમો રાક્ષસ નો વધ કર્યા બાદ ગાય નાં સ્વરૂપ માંથી પ્રગટ થયા એટલે તેમનું નામ ગાંડીગાત્રાડ પડ્યું.એટલે ગાત્રાળ નાં સ્વરૂપે માતાજી પૂજાય છે.

ભાડલાની ગેલી માતાની વાવનો ઈતિહાસ

બાબરા રાક્ષસ નો અંત આણવા ગેલીમાં એ માવડિયા ચારણના ઘરે અવતાર ધર્યો અને બધી બહેનો અને ભાઈ સાથે પધાર્યા . ભાડલા ગામમાં એક વાવ આવેલી છે જે ગેલી માતાની વાવ તરીકે ઓળખાય છે.જે ચાર માળની બનેલી છે.વાવમાં ઉતરતા ગણેશજી અને વિષ્ણુ ભગવાનની એ સદીમાં મૂકેલી પ્રતિમા પણ આવેલી છે.બાબરા ભૂતની ૧૩મી સદીની બનેલી આ વાવ છે. ગેલી માતા જ્યારે ભાડલા ગામ માં આવ્યા અને આલા ભગત ને ત્યાં જોયા .આલા ભગત ગેલી મા નો ભક્ત હતો. મા એ આ વાવ સાથે જોવા કહ્યું ત્યારે આલા ભગતે કહ્યું પહેલું હું વાવ માં ઉતરું છું ત્યારે ભગત આ વાવ માં ઉતરે છે ત્યારે એમને ભૂતો નો અવાજ આવ્યો જેમાં અનેક ભૂતો રહેતા હતા તેથી આલા ભગતે ગેલી મા ને બહાર આવી વાત કરી ત્યાર બાદ મા એ વાવમાં જઈ ભૂતોને બાંધી દીધા અને વશમાં કરી લીધા .બાબરા ભૂતને વશ માં લીધો અને મા એ કહ્યું કે હું જે કાર્ય કહું તે તારે કરવું પડશે બાબરા ભૂતે માંને વચન આપ્યું ત્યાર બાદ વાવમાં બેઠો. મા એ વાવમાં અધવચ્ચે ગોક બનાવ્યો અને ઢોલિયો ઢાળ્યો છે ત્યારબાદ ભાડલા ગામે ગેલી માતા સહિત તેમની સાથે ૬ બહેનો ,ભાઈ મેરઠયો અને વીરો ખેતલિયો સાથે વાવમાં બિરાજમાન થયા.

ત્યા ભૂતડા દાદાનું મંદિર પણ આવેલું છે.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com