બ્રહ્માસ્ત્ર ફિલ્મના એક્ટર રણબીર કપુર અને એક્ટ્રેસ આલિયા ભટ્ટે અમદાવાદમાં PVR એક્રોપોલીસ ખાતે ફિલ્મ નિહાળી પ્રમોશન કર્યું

Spread the love

ફિલ્મના ડાયરેક્ટર અયાન મુખર્જીએ બ્રહ્માસ્ત્ર ૨ પણ ફિલ્મ બનશે તેવી જાહેરાત કરી હતી : 6 દિવસમાં 160 કરોડ રૂપિયાની કરી કમાણી

ફિલ્મના કલેક્શન પરથી જ ખ્યાલ આવે કે ફિલ્મે આગ લગાવી: આલિયા ભટ્ટ

અમદાવાદ

આજે બ્રહ્માસ્ત્ર ફિલ્મના એક્ટર રણબીર કપુર અને એક્ટ્રેસ આલિયા ભટ્ટે અમદાવાદમાં PVR એક્રોપોલીસ ખાતે ફિલ્મ નિહાળી પ્રમોશન કર્યું હતું.

દેશમાં વિવાદો વચ્ચે 9 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થયેલી ફિલ્મ બ્રહ્માસ્ત્ર બોક્સ ઓફિસ પર ધુમ મચાવી રહી છે ત્યારે ફિલ્મના ડાયરેક્ટર અયાન મુખર્જી, એક્ટર રણબીર કપુર અને એક્ટ્રેસ આલિયા ભટ્ટ આજે ફિલ્મ પ્રમોશન માટે અમદાવાદના PVR એક્રોપોલીસ ખાતે પહોંચ્યા હતા.ફિલ્મ નિહાળી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ફિલ્મના વિવાદથી લઇને VFX સહિતના તમામ સવાલોના જવાબો આપ્યા હતા. ત્યારે ડાયરેક્ટર અયાન અને એક્ટ્રેસ આલિયા ભટ્ટે બાયકોટ ટ્રેન્ડના સવાલ પર જવાબ આપતા જણાવ્યુ હતુ કે અમારી ફિલ્મ લાઇનમાં 2 જ ઓપ્શન છે કે તમે પોઝિટિવ પર ફોકસ કરો કે નેગેટિવ પર ફોકસ કરો અને અમારુ ધ્યાન માત્ર ફિલ્મ પર જ છે. ફિલ્મના કલેક્શન પરથી જ ખ્યાલ આવે કે ફિલ્મે આગ લગાવી દિધી છે. રણબીર અને આલિયાને જોવા લોકોએ પડાપડી કરી હતી અને પ્રેસ બાદ રણબીરે જાતે બીજાના મોબાઈલ હાથમાં લઈ સેલ્ફી પાડી દીધી હતી.પોલીસ બંદોબસ્ત પણ ખાસ કરીને વિરોધના લીધે મૂકવામાં આવ્યો હતો .પણ કોઈ વિરોધ ફિલ્મને લઇ કરવામાં આવ્યો નહોતો. ફિલ્મના ડાયરેક્ટર અયાન મુખર્જીએ બ્રહ્માસ્ત્ર ૨ પણ ફિલ્મ બનશે તેવી જાહેરાત કરી હતી.

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની ફિલ્મ બ્રહ્માસ્ત્ર બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે.6 દિવસમાં 160 કરોડ રૂપિયાની કરી કમાણી કરી છે. ફિલ્મનું ઓપનિંગ વીકેન્ડ કલેક્શન મજબૂત રહ્યું છે. બ્રહ્માસ્ત્રે માત્ર ત્રણ દિવસમાં ઇન્ડિયન બોક્સ ઓફિસ પર 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે. પહેલા દિવસે ફિલ્મે ભારતમાં 37 કરોડની કમાણી સાથે બમ્પર ઓપનિંગ કર્યું હતું. એ પછીના દિવસે ફિલ્મે 42 કરોડનું કલેક્શન કર્યું અનેરવિવારે ફિલ્મ ત્રીજા દિવસે બ્રહ્માસ્ત્ર એ તમામ ભાષાઓમાં 44.80 કરોડનો બિઝનેસ કર્યો હતો, સોમવારે 16 કરોડ, મંગળવારે 12.50 કરોડ, બુધવારે 11.50 કરોડનું કલેક્શન કરી તરખાટ મચાયો છે. જણાવી દઈએ કે ફિલ્મનો પહેલો ભાગ પૂરો થતાની સાથે જ બીજા ભાગ ‘બ્રહ્માસ્ત્ર 2: દેવ’નું અનાઉસમેન્ટ કરવામાં આવ્યું છે.

રણબીર કપૂર સોમનાથ મહાદેવના મંદિર ખાતે દર્શન કરવા માટે પહોંચ્યા હતા

બૉલીવુડ કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ જામનગર એરપોર્ટ ખાતે ટૂંકુ રોકાણ કર્યું હતું. બોલીવુડનું ક્યુટ કપલ આજે થોડા સમય માટે જામનગરનું મહેમાન બન્યું હતું. તાજેતરમાં જ લગ્નના તાંતણે બંધાયેલ અને બોલીવુડની હોટ ફેવરિટ યુથ જોડી એવા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આજે સવારે મુંબઈ હવાઈમાર્ગ થી સીધા જામનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા.રણબીર કપૂર સોમનાથ મહાદેવના મંદિર ખાતે દર્શન કરવા માટે પહોંચ્યા હતા.આલિયા ભટ્ટ કે જે હાલ માતા બનવાની તૈયારીમાં છે ત્યારે તેનાથી હેલિકોપ્ટરનો પ્રવાસ ન થઈ શકે એ માટે આલિયા ભટ્ટે જામનગર ખાતે ટૂંકુ રોકાણ કર્યું અને રણબીર કપૂર પણ ચોપર મારફતે સોમનાથ મહાદેવ મંદિર ખાતે દર્શન કરવા પહોંચ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com