ગુજરાત સરકાર દ્વારા છેલ્લા એક વર્ષમાં જેટલા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરાયું તેનું સેફ્ટી ઓડીટ અને ફાયનાન્સીયલ ઓડીટ કરવામાં આવેઃ આલોક શર્મા

Spread the love

શા માટે અત્યાર સુધી મોરબી દુર્ઘટના બાબતે બાળ આયોગ, મહિલા આયોગ અને હ્યુમન રાઈટસ કમિશનના હોદ્દેદારો મૌન છે ? : ડૉ. જીતુ પટેલ

હાલની એસ.આઈ.ટી.ને વિખેરી નાખી અને સુપ્રિમકોર્ટ અથવા હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં નવી સીટની રચના કરવા નામદાર હાઇકોર્ટને પ્રમુખની વિનંતી

અમદાવાદ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદને સંબોધન કરતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્માએ જણાવ્યું હતું કે, શા માટે આ દુર્ઘટનાના મૃતકોનું પોષ્ટમોર્ટમ નથી થયુ અને તેમના વીસેરા રીપોર્ટ રાખવામાં આવ્યા છે કે કેમ તેનો સરકાર જવાબ આપે ? મોરબી કેબલ બ્રિજની દુર્ઘટનામાં જે એસ.આઈ.ટી. ની રચના કરવામાં આવેલ છે. તે એસ.આઈ.ટી.માં ફક્ત સરકારને આધિન ઓફિસરને સામેલ કરવામાં આવેલ છે. જે પ્રમાણે ભૂતકાળની એસ.આઈ.ટી.નો ઈતિહાસ છે તે પ્રમાણે આ એસ.આઈ.ટી. સંપૂર્ણ રીતે તટસ્થ તપાસ કરશે કે નહી તે મોટો પ્રશ્ન છે !

આલોક શર્માએ સરકાર સામે માંગણી કરી હતી કે, ગુજરાત સરકાર દ્વારા છેલ્લા એક વર્ષમાં જેટલા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તેનું સેફ્ટી ઓડીટ અને ફાયનાન્સીયલ ઓડીટ કરવામાં આવે અને જો ફિટનેસ સર્ટીફીકેટ ઉપલબ્ધ ન હોય તો ગુજરાતની જનતાની સુરક્ષા માટે આ પ્રોજેક્ટ સત્વરે બંધ કરી દેવામાં આવે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ડૉ. જીતુ પટેલે જણાવ્યું હતું કે, આ એક્ટ ઓફ ગોર્ડ નથી પરંતુ એક્ટ ઓફ ફ્રોડ છે. આવુ ભૂતકાળમાં પશ્ચિમ બંગાળની પુલ દુર્ઘટના બાદ નરેન્દ્ર મોદી બોલ્યા હતા. ઘટનાના ત્રણ દિવસ બાદ શા માટે રાજકીય શોક રાખવામાં આવ્યો ? મૃતકોની વેદનાને સમજવાની સંવેદના ભાજપ સરકારે ખોઈ દીધી છે. શા માટે અત્યાર સુધી આ ઘટના બાબતે બાળ આયોગ, મહિલા આયોગ અને હ્યુમન રાઈટસ કમિશનના હોદ્દેદારો મૌન છે ?

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે નામદાર હાઈકોર્ટના જજને વિનંતી પત્ર લખીને હાલની એસ.આઈ.ટી.ને વિખેરી નાખી અને સુપ્રિમકોર્ટ અથવા હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં નવી સીટની રચના કરવામાં આવે અને આ પત્ર દ્વારા જે માહિતી આપવામાં આવેલ છે તેને જાહેર હિતમાં સુઓમોટો કરવા માટે પણ વિનંતી કરવામાં આવેલ છે. રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કો-કન્વિનર અને પ્રવક્તા હેમાંગ રાવલ અને પ્રવક્તા પાર્થીવરાજ કઠવાડીયા, ડૉ. અમિત નાયક ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com