49% વસ્તી OBC,SC,ST ભેગી થાય તો ભલભલાના સમીકરણો તો શું સરકાર ચલાવે,
ગુજરાતમાં OBC,SC,ST નું રિઝર્વેશન હોય તો મળે, બાકી તમારું આવે ત્યારે આવજો, સૌથી વધારે જનસંખ્યા છતાં બાપલીયા જેવો
ગુજરાતમાં જાતિવાદ સમીકરણો અને હવે વાડાઓ બહુ ફાટી નીકળ્યા છે, ત્યારે ઓ.બી.સી.ની 49% વસ્તી, અને એ.સી તથા એસ.ટી સમાજની જન સંખ્યા જોવા જઈએ તો સરકાર પોતાની બનાવીને ચલાવે, પણ મતદારોમાં સંખ્યા મોટી હોવા છતાં આમાંથી કોઈને પ્રભુત્વ હોદ્દો ,મળતો નથી અને 11% રાજ રાજ કરે છે, ત્યારે OBC,SC,ST નું રિઝર્વેશન હોય તો આપવાનું બાકી આંગળી ઊંચી કરવાની અને ચૂંટાયેલા સભ્યે બેસી રહેવાનું, ત્યારે ઓબીસીમાં માલધારી સમાજ જોવા જઈએ તો ભાજપ, કોંગ્રેસ બંને સાથે છે ,પણ અમુક સત્તા સ્થાને બેઠેલા OBC,SC,ST સમાજને એવી રીતે ચિતરી નાખ્યા છે કે આ ફલાણા કોંગ્રેસે એવા પંજા વાળો છે, હવે ઝાડુ પકડ્યું છે, ત્યારે ભાજપ 27 વરસથી શાસન કરી રહી છે, તેમ આ OBC,SC,ST ની દેન છે પણ આજે એસ.સી, એસ.ટી, ઓ.બી.સી. ને રિઝર્વેશન હોય તો જ મળે, બાકી ઠન ઠન ગોપાલ…
રાજ્યની મનપામાં OBC,SC,ST નો રિઝર્વેશન કવોટા આવે તો મેયર બનવાનું મળે, બાકી રિઝર્વેશન વગર કોઈને હોદ્દો આપ્યો હોય તો બતાવો, અમુક નેતા એવા ચિત્રામણ કરીને OBC,SC,ST સમાજને ચીતરી રહ્યા છે કે આણે પહેલા પંજો પકડ્યો હતો અને હવે જાડું પણ ભાઈ જાડુવાળા થી લઈને દબાયેલો, કયચળાયેલો સમાજ આજે પ્રોફેસર આચાર્ય ,શિક્ષક, પત્રકાર, પાયલોટ થી લઈને અનેક હોદ્દા ઉપર છે, ત્યારે વર્ષોથી એક જ વિચારસરણી પર ચાલતા અમુક કાંધિયાઓએ OBC,SC,ST સમાજને એવી રીતે ચીતરી નાખ્યો છે કે એ ક્યારેય આગળ આવી ન શકે, ભલે ગમે તે હોય પણ જીગ્નેશ મેવાણી (SC) સમાજના હોવાથી આજે પણ પક્ષ પાર્ટીને વફાદાર રહ્યા છે ,ત્યારે સૌથી તોડફોડની રાજનીતિમાં કયા ધારાસભ્યો પાર્ટી છોડીને અન્યત્ર ગયા, તે પણ પક્ષોએ ચકાસણી કરવી જોઈએ .49 ટકા વસ્તી ઓબીસીની તથા એસ.સી ,એસટીની સૌથી વધુ વસ્તી અને મતદારો છતાં ઊચા હોદ્દા, આસન પર ગ્રહણ તો રિઝર્વેશન કવોટો હોય તો જ મળે, આજે દરેક સમાજમાં શિક્ષણનો વ્યાપ વધ્યો છે અને ભલે રિઝર્વેશન હોય પણ લાભ કોને મળે છે? હા, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓબીસી સમાજના છે, પણ તે રીઝર્વેશન નહીં પોતાના કારકિર્દીથી આવ્યા છે, 27 વર્ષથી એકહથ્થુ ગુજરાતમાં ભાજપનું શાસન છે તે OBC,SC,ST પણ દેન છે, ત્યારે ભાજપને જે 48% મતો મળે છે, તેમાં OBC,SC,ST નો ફાળો મહત્વનો છે, છતાં પણ નોંધ લેવાતી નથી, આવી ઘણી જ પાર્ટીઓમાં છે, મોટા નેતાઓ ફલાણો આ પંજો પકડ્યો અને હવે ઝાડુ પણ કમળ કોણે પકડ્યું? તે વાત કોઈ ઉચ્ચ કક્ષાએ પહોંચાડતા નથી, બાકી બલી્ મહાબલીઓ પણ OBC,SC,ST સમાજમાં છે, ત્યારે રિઝર્વેશનથી ઉપર કવોટા થી નહીં, કવોટા વગર OBC,SC,ST સમાજને હોદ્દો આપો તો જમાવટ થાય, આજે ઉચ્ચકક્ષાએ ધંધા, રોજગાર, સરકારી અધિકારીઓમાં લાગેલા વર્ગનો વિચાર શું વર્ષોથી એક જ પક્ષ માટે હોય? ત્યારે ભાજપ માટે હવે મોટુ સ્વીઞ હોય તો OBC,SC,ST છે ,દરેક રાજકીય પક્ષે હવે નજર દોડાવવાની જરૂર છે,
બોક્સ
OBC,SC,ST સમાજને રિઝર્વેશન કવોટો હોય તો મેયર થી લઈને મંત્રીનું પદ મળે, બાકી રિઝર્વેશન કવોટા વગર કેમ નહીં ? આજે SC સમાજને મંત્રીમંડળમાં માંડ ૧ મંત્રી અથવા બે મંત્રી મૂકવામાં આવે છે ,તે મૂકવાનું કારણ કવોટા (રિઝર્વેશનના) કારણે, રેલગાડીમાં છેલ્લા બે ટકા જનરલ હોય એવી રીતે જનરલ ડબ્બા બધા રીઝર્વેશનનો કવોટા ખાઈ ગયા છે અને રિઝર્વેશન ને ફક્ત જે નિયમોમાં આવ્યું તે મળે છે, આજે પણ ચૂંટાયા બાદ કહેવામાં આવે તમારું આવે ત્યારે આવજો, સૌથી વધારે મતદારો બાપલીયા જેવા