GJ-18 ખાતે ખીલશે કમળ, ૨૭ વર્ષથી ખીલ્યું હવે મૂર્જાઇ રહ્યું છે
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓનો ટેમ્પો જામ્યો છે ત્યારે કોંગ્રેસના મોટા નેતાઓ પણ પ્રચારમાં લાગી ગયા છે ત્યારે મહિલા કોંગ્રેસના ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસ પ્રેસિડેન્ટ નીતા ડીસોઝા એ GJ-18ની ઉત્તરશીટના કોંગ્રેસના ઉમેદવાર વિરેન્દ્રસિંહ વાઘેલા પોતે ચૂંટણી લડી રહ્યા છે ત્યારે પ્રચાર પ્રસાર કરવા મહિલા ટીમ પણ મેદાને ઉતરી છે ત્યારે કોંગ્રેસના મહિલા નેતા એવા નીતા ડીસોઝા જાય જણાવ્યું હતું કે ગુજરાતમાં વિકાસની વાતો અને મોટા હાઇવે બનાવવાથી વિકાસ થતો નથી બધી જગ્યાએ ટોલ બુથોનો વેપલો અને વાહન ચાલકોની રીતસર ઉઘાડી લુટ તથા ટોલટેક્સ લીધા બાદ પણ રોડ રસ્તા તૂટેલા છે ડિસ્કો રોડ બની ગયા છે ત્યારે ભાજપ દ્વારા બોર્ડ લગાવ્યા છે કે કમળ ખીલશે પણ યોજાયેલું કમળ ક્યારે ખીલે નહીં તેમ નીતા ડિસોઝાએ જણાવ્યું હતુંશાળાની વાત કરીને તેમને જણાવેલ કે ૭૦૦વિદ્યાર્થી માં એક શિક્ષક, ભાજપ શાળાઓનો મૃત્યુ ઘંટ વગાડીને વિકાસની વાતો કરી રહ્યું છે, કોંગ્રેસ સત્તામાં આવશે એટલે ૩૦૦૦ નવી સ્કૂલો અંગ્રેજી મીડીયમની ખોલવા અને ખેડૂતોને વીજળી પડી તથા રહીશોને ૩૦૦ ેહૈં વીજળી પણ જાહેરાત કરી છે ખેડૂતોને ૩ લાખ સુધીનું દેવું માફ કરવામાં આવશે સ્વાસ્થ્ય સેવા વિનામૂલ્યે ૧૦ લાખની કરવામાં આવશે તેમ નીતા ડીસોઝા જણાવ્યું હતું.
મહિલા પ્રેસિડેન્ટ એવા નીતા ડીસોઝા એ ભાજપ ઉપર અનેક પ્રહાર કર્યા હતા અને ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે ૨૭ વર્ષથી કમળ બાદ હવે GJ-18 ખાતે મોટા બોર્ડ લાગેલા છે કે કમળ ખીલશે ત્યારે મુંજાયેલું કમળ ફરીથીના ખીલી શકે તેમ કહ્યું હતું