ગુજરાતમાં ચૂંટણીઓની મોસમ ખીલી છે, ત્યારે GJ-18 ની પાંચ સીટો એવી ઉત્તર, દક્ષિણ, માણસા, કલોલ અને દહેગામ છે, ત્યારે GJ-18ની એક સીટમાં કાર્યાલય ઉપર ઉમેદવાર પ્રચાર કરીને થાકીને બેઠા હતા, ત્યારે એક ચાની ચુસકી અને નાસ્તો કરવા એટલા અવાજાે કાઢ્યા પણ સાંભળે કોણ ? ત્યારે એક કલાક બાદ નાસ્તો અને ચા આવતા ઉમેદવાર કહી રહ્યા હતા કે કોઈ સાંભળતું નથી, ત્યારે ચૂંટાયા બાદ વિધાનસભામાં પણ બહેરા તંત્ર પણ સાંભળતું નથી, એટલે અત્યારથી જ આપણી પીપૂડી વાગે અને સામેના તંત્રના કાનના પડદા બંધ હોય તો ખુલી જાય તેવી તૈયારી પણ રાખજાે, બાકી તંત્રને સાંભળતું નથી,
ચૂંટણીમાં ખર્ચ કરનારા ઉમેદવારને ચા, નાસ્તાની બૂમો પાડવા છતાં ન સાંભળતા પોતે કહી રહ્યા હતા કે કોઈ સાંભળતું નથી, ત્યારે ચૂંટાયા બાદ તંત્રમાં પણ ૧૦ બૂમો,૧૦ પત્રો પાઠવો એટલે કામ થાય, એટલે ટ્રેનિંગ લઈ લેજાે અને થોડી ચમનપુરા ચકલા ની ભાષા પણ શીખવી પડશે,ચમનપુરાના શ્લોક બોલો તો તંત્ર કામ કરે, આ સત્ય હકીકત છે ,એટલે બહેરા તંત્રને જગાડવા લોકોના કામ માટે શ્લોકો ચમનપુરાના બોલશો તો જ કામ થશે, હા , મજબૂરી હશે, પણ પ્રજાના કામ માટે ચમનપુરાના શ્લોકો બોલનારાજ વારંવાર ચૂંટાઈને આવ્યા છે, એવા અનેક દાખલા છે, ત્યારે કોઈ સાંભળતું નથી તે ,સાંભળે એની ટ્રેનિંગ લઈ લેજાે, તથાસ્તુ…
પ્રજાના પ્રશ્ને શ્લોકો બોલનારા ધારાસભ્યો એકવાર નહીં, વારંવાર ચૂંટાય છે, તે સત્ય છે, તંત્ર કામ ન કરે એટલે પહેલા રજૂઆત, બીજીવાર પીપૂડી કાનમાં વગાડવાની અને કાનનો મેલ નીકાળી દેવાનો અને પછી ના કામ થાય તો શ્લોકો બોલો એટલે વાળ ઉભા તંત્રના થઈ જાય, એટલે કામ થાય ,