૨૫ સભ્યનું બની શકે નવું મંત્રીમંડળ

Spread the love

સંભવિત કેબિનેટ મંત્રીઓ

 

* શંકર ચૌધરી
* ઋષિકેશ પટેલ
* પૂર્ણેશ મોદી
* રાઘવજી પટેલ
* કનુ દેસાઇ
* કિરીટસિંહ રાણા
* શંભુનાથ ટુંડિયા
* ગણપત વસાવા
* જયેશ રાદડિયા
* કુંવરજી બાવળિયા
* જિતુ વાઘાણી
* શૈલેષ ભાભોર
* બચુ ખાબડ
* ભરત પટેલ
* જગદીશ વિશ્વકર્મા
* અમિત ઠાકર
* હર્ષ સંઘવી
* અલ્પેશ ઠાકોર
* મોહન ઢોડિયા
* આર.સી. પટેલ
* જે.વી કાકડીયા
* અક્ષય પટેલ
* રીવાબા જાડેજા
* માલતી મહેશ્વરી
* દર્શના દેશમુખ
* રીટાબેન પટેલ
* પ્રદ્યુમન વાજા
* દર્શનાબેન વાઘેલા
* જેએસ પટેલ
* હાર્દિક પટેલ

૮ ડિસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થઈ ગયાં છે, જેમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી ૧૫૬ સીટ જીતી લીધી છે. આ વિજય બાદ હવે ભાજપે નવી સરકાર રચવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હવે નવા મંત્રીમંડળમાં કોણ કોણ હશે અને એનું જ્ઞાતિ સમીકરણ શું હશે એ અંગે ચર્ચાઓ શરૂ થવા લાગી છે. નવા મંત્રીમંડળમાં એકપણ સમાજને અન્યાય ના થાય એની તકેદારી રાખવામાં આવી રહી છે. ભાજપે અત્યારસુધીનો રેકોર્ડ તોડી પ્રચંડ બહુમતી મેળવી લીધી છે, પરંતુ હવે ભાજપ માટે આગામી લક્ષ્યાંક કોઈ હોય તો એ છે વર્ષ ૨૦૨૪માં આવનારી લોકસભા ચૂંટણી. વર્ષ ૨૦૧૯ની જેમ ફરીથી એક વખત ભાજપ ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠક હાંસલ કરવાના ટાર્ગેટ સાથે આગળ વધી રહ્યો છે, ત્યારે માનવામાં આવી રહ્યું છે કે આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને જ ૧૧ કેબિનેટ અને ૧૪ રાજ્યકક્ષાના મળીને ૨૫ જેટલા સભ્યોનું નવું મંત્રીમંડળ રચવામાં આવશે.
ગુજરાતના તમામ ઝોન, જેવા કે ઉત્તર, મધ્ય, દક્ષિણ, સૌરાષ્ટ્ર અને કચ્છ એમ તમામ વિસ્તારમાંથી ભાજપ જ્ઞાતિ આધારિત સમીકરણો ધ્યાનમાં રાખીને મંત્રીઓની પંસદગી કરી શકે છે. જાેકે હાલ માત્ર ચર્ચાનો દૌર એ છે કે ભાજપના વિજેતા ઉમેદવારો પૈકી મંત્રીપદ માટે સક્ષમ ચહેરો કોણ છે ? કોણ છે કે મંત્રીપદની ગાદી શોભાવશે ? વિજેતા ઉમેદવાર પૈકી મંત્રીપદ માટે જે લોકો પ્રબળ દાવેદાર છે એવાં કેટલાંક નામો સામે આવ્યાં છે. ગુજરાત રાજ્યની નવી સરકારના વિધાનસભા મંડળમાં કયા કયા ચહેરાનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવી શકે છે એવાં કેટલાંક નામોની ચર્ચા ચાલી રહી છે.
ગુજરાતમાં અગાઉ ભાજપની સરકાર દરમિયાન મંત્રીપદ ભોગવી ચૂકેલા અનેક એવા નેતાઓ છે, જેમને વર્ષ ૨૦૨૨ની ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવી હતી અને તેમનો ભવ્ય વિજય પણ થયો છે. એવા તમામ ધારાસભ્યો, જેઓ અગાઉ કેબિનેટ કક્ષાના મંત્રીની જવાબદારી નિભાવી ચૂક્યા છે. તદુપરાંત અનુભવી પણ છે તે પૈકીના અનેક લોકોનો કેબિનેટ કક્ષાના મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે.
અન્ય સમાજને આવરી લઈ જ્ઞાતિ આધારિત સમીકરણોમાં સમતુલા જાળવશે, એમ નથી કે માત્ર પાટીદાર અને ઓબીસી સમાજ થકી જ સરકારના મંત્રીઓ નક્કી કરાશે. ભાજપ પોતાના આ પસંદગી સમીકરણમાં અન્ય સમાજના સમીકરણને પણ બરાબર ધ્યાનમાં રાખશે. જ્ઞાતિ આધારે સમીકરણોની સમતુલા જાળવવા ભાજપ પૂરતો પ્રયાસ કરશે અને એક નવા મંત્રીમંડળની રચના કરશે.વર્ષ ૨૦૨૨ની ચૂંટણીનાં પરિણામો આધારે વિધાનસભાના અધ્યક્ષના પ્રબળ દાવેદાર રમણભાઈ વોરા છે, કેમ કે રમણલાલ વોરા અગાઉ પણ વિધાનસભા સ્પીકર તરીકે જવાબદારી નિભાવી ચૂક્યા છે તેમજ વિધાનસભા ગૃહ ચલાવવાની નીતિ-રીતિથી તેઓ સંપૂર્ણપણે વાકેફ છે એટલે આ જ કારણસર ભાજપ રમણલાલ વોરાને એક વખત ફરીથી અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપી શકે છે.શાસક પક્ષના મુખ્ય દંડક સાથે વધુ બે ચહેરાને હોદ્દા અપાઈ શકે છે
વિધાનસભામાં અત્યારસુધી શાસક પક્ષના મુખ્ય દંડક તરીકે નડિયાદ બેઠકના પંકજ દેસાઈ જવાબદારી નિભાવતા જાેવા મળ્યા છે, પરંતુ નવા રચાનારા મંત્રીમંડળ દરમિયાન શાસક પક્ષના મુખ્ય દંડક સહિત દંડક અને નાયબ દંડકની નિમણૂક કરાઈ શકે છે. આ જવાબદારી અનુક્રમે જેઠા ભરવાડ અને ભરત પટેલને સોંપાય એવી સંભાવના છે.સંત સવૈયાનાથ ઝાંઝરકા ધામના મહંત શંભુનાથ ટુંડિયા અગાઉ વર્ષ ૨૦૧૪થી વર્ષ ૨૦૨૦ દરમિયાન રાજ્યસભા સાંસદ રહી ચૂક્યા છે.
આ ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ તેમનો રાજકીય પ્રવાસ થવાને કારણે અન્ય વિસ્તારમાં રહેતા દલિત સમાજના લોકો સાથે પણ ગાઢ સંપર્ક ધરાવે છે. આ ઉપરાંત ઝાંઝરકા ધામના મોટી સંખ્યામાં ભક્તો દેશ-વિદેશમાં રહેતા હોવાને કારણે જાે શંભુનાથ ટુંડિયાને કેબિનેટ કક્ષાનો દરજ્જાે આપવામાં આવે તો આગામી લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ ફાયદો થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com