અમદાવાદ
બીપરજોય વાવાઝોડાથી રાજ્યના અનેક જીલ્લાઓ પ્રભાવિત છે. વહીવટી તંત્ર દ્વારા વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોમાં વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે તેવા સમયે પૂર્વ મંત્રી અને રાજ્યની સર્વોચ્ચ સહકારી સંસ્થા ગુજકોમાસોલના અધ્યક્ષ શ્રી દિલીપભાઈ સંઘાણીએ ગુજકોમાસોલના જુનાગઢ સહિતના રાજ્યના ગોડાઉનો અસરગ્રસ્ત વિસ્તારમાં કામગીરી કરનારા સેવાકર્મીઓ તેમજ સ્થળાંતરિત થયેલા નાગરીકો માટે તંત્ર સાથે સંકલન કરી તેઓને જરૂરીયાત પ્રમાણે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.