ગુજરાતનું કહેવાતું GJ- 18 શહેરમાં વર્ષોથી રથયાત્રા નીકળે છે, ત્યારે અનેક જગ્યાએ ચાલતું ખોદકામ, મેટ્રો ,ભુંગળા કામથી પ્રજા પરેશાન છે, ત્યારે કામ પૂર્ણ થયા બાદ તંત્ર દ્વારા સુવ્યવસ્થિત પુરાણ ન કરાતા વરસાદમાં તો હાલત કફોડી થવાની છે, પણ આવતા – જતા વાહન ચાલકો પણ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, ત્યારે ભગવાન જગન્નાથની રથયાત્રાનો જે રૂટ હતો ,તે રૂટમાં મોટો ખાચરો પડ્યો છે, ત્યારે મંડળ પણ ત્રણ વખત આ પ્રશ્ને રૂટ ચેક કર્યો ,પણ નિર્ણય લેવામાં અનેક અડચણો આવી રહી છે ,ત્યારે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા એવા અંકિત બારોટે જે પણ રથયાત્રાનો રૂટ હતો ,તે રૂટ પર પોસ્ટર વોર શરૂ કરી દીધું છે, ત્યારે એક સંસ્થાએ પત્ર પાઠવી ને જણાવેલ કે આ પ્રશ્ને રાજકારણ ન રમશો.
કોંગ્રેસના અંકિત બારોટ તથા ગજેન્દ્રસિંહ વાઘેલા દ્વારા જણાવાયું છે કે મનપા કામ પૂર્ણ થયા બાદ રોડ ,રસ્તા બનાવી શકતી નથી ,સ્માર્ટ સિટીની વાતોના વડા થાય છે પણ ,રથયાત્રા માટે તંત્ર રસ્તો ન કરી શકતું હોય અને સ્થિતિ હાલ પણ સ્ફોટક જેવી છે, અનેક રહીશો પરેશાન છે ,ત્યારે બીજી બાજુ ,એક મંડળ દ્વારા પણ પત્ર વાયરલ થયો છે ,જે પત્રમાં શ્રી પંચદેવ યુવક મંડળ – યાત્રા સમિતિમાં ધારાસભ્ય રીટાબેન પટેલ ,મેયર હિતેશ મકવાણા તથા જિલ્લા વહીવટી દ્વારા રૂટ ની ચર્ચા થયેલ છે અને સંવેદનશીલતા જોઈને રુટ ટૂંકાવાનો નિર્ણય કર્યો હોવાનું પત્રમાં જણાવ્યું છે.