ધી ગુજરાત પેન્શનસૅ એસોસિએશનના પ્રમુખ કેશરીસિહ બિહોલા મહામંત્રી નંદુભાઈ પટેલ કોરકમિટીના સદસ્યો ગોવિંદભાઈ આહીર, અજીતદાન ગઢવી, ધનશ્યામસિહ ગોલ, પોપટલાલ પ્રજાપતિ, કનુભાઈ પટેલ સંયુક્ત નિવેદનમાં જણાવવાનું કે એસોસિએશનના પ્રતિનિધિ મંડળ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને તથા રાજ્યના નાણાં મંત્રીશ્રી મુખ્ય સચિવશ્રી અને નાણાં અધિક સચિવશ્રી ને રુબરુ ૩૦ જુનના રોજ વયનિવૃત થયેલ કમૅચારીઓ અધિકારીઓને ૧/૭ જુલાઈએ પેન્શનમાં ઈજાફાના મળવાપાત્ર લાભ આપવા માટે સરકારમાં આધાર પુરાવા નામદાર હાઈકોર્ટ કોટૅ તથા અનેક તથ્યો સાથે રજુઆત કરવામાં આવી છે પરંતુ આ બાબતે અમોને હજુ સુધી કોઈ હકારાત્મક પ્રતિભાવ મળ્યો નથી આથી અમારી માગણી સરકારને વિનંતી સાથે જણાવીએ છીએ કે તા ૩૦-૬-૨૦૨૩ સુધીમાં એસોસિએશન તથા અનેક મંડળો દ્વારા રજુઆત કરવામાં આવી છે જેને નિવૃત્ત કમૅચારીઓ અધિકારીઓના હિતમાં ત્વરિત ર્નિણય જાહેર કરવામાં આવે આથી સરકારનું તથા નામદાર હાઈકોર્ટ નું કામગીરીનું ભારણ ઓછું થશે જાે કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન ની રાહ જાેવાતી હોયતો અમારી રજુઆતોના આધાર પુરાવાના આધારે કેન્દ્રના ર્નિણય અંગે ગુજરાત સરકાર દ્વારા માનનીય વડાપ્રધાન તથા નાણા મંત્રાલય ને પત્ર લખી વાકેફ કરવામાં આવે આથી સરકારનું નામદાર હાઈકોર્ટ નું અને ૩૦ જુનના રોજ વયનિવૃત થયેલ કમૅચારીઓ અધિકારીઓનું હીત સચવાશે એવી અમારી ધારણા છે. પરંતુ જાે આ માસના અંત સુધીમાં કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા કોઈ નિણૅય કરવામાં નહીં આવેતો ધી- ગુજરાત પેન્શનસૅ એસોસિએશનની ટુક સમયમાં કોરકમિટીના સદસ્યોની બેઠક બોલાવી આગામી રાજ્યના તમામ નિવૃત્ત સંગઠનો ને એકત્રિત કરી નિવૃત્ત કમૅચારીઓ અધિકારીઓના તમામ પ્રશ્નો સાથે લઈ ક્રમશઃ વિશાળ જાહેર સભા બોલાવી આગામી રણનિતી તૈયાર કરવામાં આવશે જેની સરકાર દ્વારા નોંધ લેવામાં આવે તેવી વિનંતી પત્રમાં કરી છે.