વીર નર્મદ યુનિવર્સિટીનો વધુ એક છબરડો, કુલપતિએ ઘટનાને ગંભીર બેદરકારી ગણાવી

Spread the love

સુરત સ્થિત વીર નર્મદ યુનિવર્સિટીનો વધુ એક છબરડો સામે આવ્યો છે. વીર નર્મદ યુનિવર્સિટી અંતર્ગત આવતી વલસાડની લૉ કોલેજના એક વિદ્યાર્થીએ પરીક્ષા ન આપી હોવા છતાં તેનું પરિણામ આવતા સૌ કોઈ ચોંકી ગયા હતા. વિદ્યાર્થીએ LLB સેમ-6ની પરીક્ષા આપી જ નહોતી. છતાં તેનું પરિણામ જાહેર કરીને એક વિષયમાં માર્ક્સ અપાયા છે. જોકે, કોલેજે યુનિવર્સિટીને પત્ર લખીને વિદ્યાર્થીનો પ્રવેશ રદ કરવાની સાથે તે વિદ્યાર્થીનું પરીક્ષા ફોર્મ રદ કરવા જણાવ્યું છે. આ મામલે યુનિવર્સિટીમાં ફરિયાદ થતાં તપાસ હાથ ધરાઈ છે. યુનિવર્સિટીના કુલપતિએ ઘટનાને ગંભીર બેદરકારી ગણાવતા કહ્યું કે- આ પ્રકારની બેદરકારી ભવિષ્યમાં ન થાય તે માટે તપાસના આદેશ કરાયા છે અને જે જવાબદાર હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે કે આ વર્ષે 5 લાખથી વધુ વિદ્યાર્થીઓમાંથી ઘણા વિદ્યાર્થીઓના પરિણામોમાં છબરડાની ફરિયાદો ઉઠી છે. તેમ છતાં ભૂલો કરનાર કંપનીઓને જ કામ સોંપાયું હતું. યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન ઉત્તરવહી ચેકિંગથી લઈને પરિણામ જાહેર કરવા સુધીના કામ પાછળ કરોડોનો ખર્ચ કરાય છે. તેમ છતાં છબરડા થઈ રહ્યા છે. આ મામલામાં જવાબદાર કોણ તે હજુ જાણી શકાયું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com