માણસામાં નેચર ફર્સ્ટના સ્વયંસેવકો દ્વારા પર્યાવરણને બચાવવા વિવિધ કાર્યક્રમ હાથ ધરાયા

Spread the love

ગ્લોબલ વોર્મિંગનો ખતરો દુનિયા પર તોળાઈ રહ્યો છે. વિશ્વમાં કુદરતી આપત્તિઓનું પ્રમાણ ચિંતાજનક હદે વધ્યુ છે, ત્યારે સેવાભાવિ સંસ્થા દ્વારા પ્રકૃતિને બચાવવા સતત લોકજાગૃતિ ફેલાવી રહી છે. ગાંધીનગર જિલ્લાના માણસામાં નેચર ફર્સ્ટના સ્વયંસેવકો દ્વારા પર્યાવરણને બચાવવા વિવિધ કાર્યક્રમ હાથ ધરાયા. ધોળાકૂવા ખાતે પર્જન્ય યજ્ઞ, વૃક્ષારોપણ, વૈદિક હવન અને પ્લાસ્ટિક મુક્ત અભિયાનના કાર્યક્રમનું આયોજન કરાયુ. ગાયત્રીમાતા મંદિર ખાતે 40 વરિષ્ઠ નાગરિકોએ પ્લાસ્ટિક વીણવાની કામગીરી કરી. લોકોને શુભ પ્રસંગે વૃક્ષ વાવવા અપીલ કરી. કાપડની થેલીનું વિતરણ કર્યુ. આ ઉપરાંત કાર કે બાઈકનો ઉપયોગ ટાળી પર્યાવરણની જાળવણી કરવા આહ્વાન કરાયુ. નેચર ફર્સ્ટ સંસ્થા દ્વારા ગત વર્ષે 1 લાખ વૃક્ષ વાવવામાં આવ્યા. છેલ્લા એક 101 અઠવાડિયાથી જૂનાગઢ અને ગાંધીનગરને પ્લાસ્ટિક મુક્ત કરવાનું અભિયાન ચલાવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com