પ્રદિપસિંહ વાઘેલા બાદ વડોદરા શહેર ભાજપ મહામંત્રી સુનીલ સોલંકીએ પણ રાજીનામું આપ્યું

Spread the love


પ્રદિપસિંહ વાઘેલા બાદ વડોદરા શહેર ભાજપ મહામંત્રી સુનીલ સોલંકીએ પણ રાજીનામું આપ્યું છે. સુનીલ સોલંકીએ અંગત કારણસર સ્વૈચ્છિક રાજીનામું આપતા પાર્ટીએ સ્વીકારી લીધુ છે. વડોદરા શહેર ભાજપ દ્વારા આ વાતને સમર્થન આપવામાં આવેલુ છે. સુનિલ સોલંકી અગાઉ વડોદરાના મેયર પણ રહી ચૂક્યા છે અને ભાજપના સિનિયર આગેવાન છે. ત્યારે સિનિયર નેતાએ અચાનક જ રાજીનામું આપી દેતા અનેક પ્રકારની ચર્ચાએ જોર પકડ્યું છે. છેલ્લા કેટલાક સમયથી જે પ્રકારની ગતિવિધીઓ ચાલી રહી છે અને જે ઘટનાક્રમ બની રહ્યા છે તેને જોતા સુનીલ સોલંકી પણ જૂથવાદનો ભોગ બન્યા હોય તેવુ લાગી રહ્યુ છે. ચોક્કસ જૂથ દ્વારા ઉચ્ચ સ્તરે કરાયેલી ફરિયાદના કારણે સુનીલ સોલંકીનું રાજીનામું માગવામાં આવ્યુ હોય તેવી ચર્ચા થઇ રહી છે. જો કે વડોદરા શહેર ભાજપ દ્વારા માત્ર એ વાતને સમર્થન આપવામાં આવ્યુ છે કે અંગત કારણોસર તેમના દ્વારા રાજીનામું આપવામાં આવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com