એન એન.એસ.યુ આઈ ના પ્રવક્તા નારાયણ ભરવાડ એ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને પત્ર લખ્યો
અમદાવાદ
ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજ BBA- BCA.- MACIT – IMBA મા વિઘાથીઓના ઘસારાને લઈને સીટો વઘારવા NSUI ની માંગ સાથે એન એન.એસ.યુ આઈ ના પ્રવક્તા નારાયણ ભરવાડ એ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને પત્ર લખ્યો. ગુજરાત યુનિવર્સિટી દ્વારા હાલમાં પ્રવેશ પ્રક્રિયાની કામગીરી ઓનલાઇન ચાલી રહી છે. જેમાં ગુજરાત યુનિવર્સિટીની દરેક કૉલેજોમાં વિદ્યાર્થીઓની સીટો વધારીને વાલીઓને રાહત આપવામાં આવે તેવી અમારી માંગણી છે. હાલમાં મોંઘવારીને કારણે વાલીઓની આર્થિક પરિસ્થિતિ ઘણી જ ખરાબ હોઇ વિદ્યાર્થીઓને ભણાવવા માટે વાલીઓને પરવડે તેવી કૉલેજોની સીટો હોઇ તો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે અન્યાય ના થાય. તથા વિદ્યાર્થીઓને સસ્તું અને સારું શિક્ષણ પણ મળી રહે. ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન તમામ BBA, BCA, MSc IT, IMBA બેઠકોમાં વધારો કરવામાં આવે. તથા પાંચ વર્ષના ચાલતા ઇન્ટ્રીગ્રેટેડ એમ.એસ.સી.આઇ.ટી. જેની એક માત્ર કૉલેજ છે કે.એસ. સ્કુલ ઓફ બિઝનેશ મેનેજમેન્ટમાં પણ હાલ ૮૦ ટકા હોવા છતાં વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત છે તો યુનિવર્સિટીના સત્તાધિશોને વિનંતી કે હાલમાં પરીવારોની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને દરેક કૉલેજની સીટો વધારવામાં આવે અને વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓને રાહત આપવામાં આવે.હાલમાં વિદ્યાર્થીઓને સારા ટકા હોવા છતાં તેઓને મનગમતી કૉલેજમાં એડમીશન મળતું નથી અને વિદ્યાર્થીઓ દ્વારા ભૂલ થી ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા દરમિયાન ૫૦૦ રૂપિયા ભરાઈ જતાં તેઓને તે કૉલેજમાંથી એડમીશન કેન્સલ પણ કરવા દેવામાં આવતા નથી. જે વિદ્યાર્થીઓને બી.કોમ.માંથી બી.બી.એ. અથવા બી.સી.એ.માં જવું હોવા છતાં તેઓને ના છૂટકે બી.કોમમાં એડમીશન ફાળવી દેવામાં આવ્યા છે. તો તેઓને એડમીશન કેન્સલ કરીને તેમની બી.બી.એ. કે બી.સી.એ.ની કૉલેજમાં પ્રવેશ મળે તેવી પ્રક્રિયા કરવામાં આવે.