નિવૃત કર્મચારી માટે ફરી નોકરી ની તક? ક્યાં વાંચો

Spread the love

દેશમાં રીટાયર્ડ થયા બાદ નિવર્તુ કર્મચારીને સમય કાઢવો કપરો લાગે છે. ત્યારે રીટાયર્ડ બાદ પણ તમે સેવામાં હરહંમેશા જોડાયેલા રહો તે આશયથી પેન્શન અને પેન્શનર્સ વેલ્ફેર વિભાગે એક પરિપત્ર જારી કરીને જણાવ્યું છે કે નિવૃત્ત કેન્દ્રીય કર્મચારીઓ પેન્શન લેતા હોવા છતાં ભારતીય રેડક્રોસ સોસાયટીમાં પૂર્ણ કરારથી સેવા આપી શકે છે. યુદ્ધના સમયમાં સૈનિકોને અને લોકોને મદદ પહોંચાડવામાં રેડક્રોસ સોસાયટી મોટું કામ વિશ્વ ભરમાં કરે છે. ભારતમાં યુદ્ધ, કોરોના, વાવઝોડા, કુદરતી હોનારતો થાય તો તેમાં નિવૃત્ત કર્મચારીઓ ગમે ત્યારે કામ આવી શકે છે. તે માટે તાલીમ લેવી પડતી હોય છે.

કેન્દ્રીય કર્મચારીઓને નિવૃત્તિ લીધા પછી પણ સરકારે વૈકલ્પિક રોજગારની તકો આપવાનો નિર્ણય લીધો છે. પેન્શન અને પેન્શનર્સ વેલ્ફેર ડિપાર્ટમેન્ટે એક પરિપત્ર જારી કરીને જણાવ્યું છે કે નિવૃત્ત કેન્દ્રીય કર્મચારી ભારતીય રેડ ક્રોસ સોસાયટીમાં સેવા આપી શકે છે. નિવૃત્ત કર્મચારીઓને આ સંગઠનમાં જોડાવા માટે માત્ર એક જ ફોર્મ ભરવાનું રહેશે, જે સરકાર અને સૈન્ય દળોની તબીબી સેવાઓમાં સહાયક તરીકે કાર્ય કરે છે. દિલ્હી, એનસીઆરમાં રહેતા કેન્દ્રીય કર્મચારીઓ આપત્તિ સમયે ફાળો આપતી આ સંસ્થામાં કામ કરવા માટે અરજી કરી શકે છે. આવા કર્મચારીઓને દર મહિને એક નિશ્ચિત માનદ પણ આપવામાં આવશે.

દેશના રાષ્ટ્રપતિ આ સંસ્થાના ભૂતપૂર્વ અધ્યક્ષ છે. હુકમ મુજબ સેક્શન ઓફિસરના હોદ્દાથી નીચે કામ કરતા કર્મચારીઓ તે માટે અરજી કરી શકશે નહીં. નોકરી દિલ્હીમાં રેડક્રોસ સોસાયટીના રાષ્ટ્રીય મુખ્યાલય માટે હશે અને પૂર્ણ કરારની નોકરી હશે. રેડ ક્રોસ સોસાયટીની દેશભરમાં 1,100 શાખાઓ છે. દેશમાં કટોકટી અથવા આપત્તિની સ્થિતિમાં રેડ ક્રોસ સોસાયટી સહાય પૂરી પાડે છે. આ સંસ્થા આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસ આંદોલનનો એક ભાગ છે. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની સ્થાપના 1920 માં એક અધિનિયમ પસાર કરીને ભારતમાં કરવામાં આવી હતી. વિશ્વભરની માનવતા દ્વારા શાંતિનો સંદેશો પહોંચાડતી આ સંસ્થાના પ્રમુખ રાષ્ટ્રપતિ છે, જ્યારે અધ્યક્ષ તરીકે આરોગ્ય પ્રધાનની જવાબદારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com