વડનગરના બારપરા ક્ષત્રિય ઠાકોર સમાજે મહત્વનો નિર્ણય લીધો, કુરિવાજો પર પ્રતિબંધ

Spread the love

મહેસાણાના વડનગરમાં સમાજમાં ચાલતા કુરિવાજોને દૂર કરવા માટે ક્ષત્રિય ઠાકોર સમાજે એક અનોખી પહેલ કરી છે. વડનગરના બારપરા ક્ષત્રિય ઠાકોર સમાજે મહત્વનો નિર્ણય લીધો છે. 84 ગામમાં વસવાટ કરતા સમાજના લોકો માટે પહેલ કરવામાં આવી છે. ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા જુગાર રમવા પર લગ્ન પ્રસંગમાં ડીજે અને વરઘોડા પર પ્રતિબંધ મૂકાયો છે. હવે લગ્ન પ્રસંગોમાં DJ નહીં વગાડી શકાય. લગ્ન પ્રસંગે વરઘોડા બંધ કરવા પણ નિર્ણય લેવામાં આવ્યો છે. ઓઢણી પ્રસંગે ફક્ત મહિલાઓએ જવું. પુરુષોના જવા ઉપર પ્રતિબંધ મુકાયો છે તો મરણ પ્રસંગે પરિવાર સિવાય અન્ય લોકોને સોળ લઇ જવા પર પ્રતિબંધ મુકાયો છે. 84 ગામમાં વસવાટ કરતા ઠાકોર સમાજના લોકો દ્વારા સોળના બદલે રોકડાથી વ્યવહાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહીં મરણ પ્રસંગે સાડી નાખવાની પ્રથા પણ બંધ કરવામાં આવી છે. લગ્ન જેવા પ્રસંગોમાં ઓઢમણા પ્રથા સદંતર બંધ કરવામાં આવી છે. તેના બદલે રોકડાથી વ્યવહાર કરવાનો રહેશે. લગ્ન પ્રસંગે થતા અન્ય સામાજિક પ્રસંગોમાં રમાતા જુગાર પર પ્રતિબંધ મુકાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com