કલમ 142નો ઉપયોગ લગ્નના અવિભાજ્ય ભંગાણના આધારે છૂટાછેડા આપવા માટે થઈ શકે છે : સુપ્રીમ કોર્ટ

Spread the love

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ એક કેસની સુનાવણી વખતે મોટી ટિપ્પણી કરી છે. વાત જાણે એમ છે કે, સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જ્યારે લગ્ન તૂટવાની અણી પર હોય અને તેને બચાવવાની કોઈ શક્યતા ન હોય તો પતિ-પત્નીને સાથે રાખવા એ ક્રૂરતા સમાન છે.

છૂટાછેડાના કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી. બેન્ચે જણાવ્યું હતું કે, સતત કડવાશ, લાગણીઓમાં ક્ષતિ અને વધુ લાંબા સમય સુધી છૂટાછેડા તરફ દોરી જતા સંજોગોને ‘લગ્નના અવિભાજ્ય ભંગાણ’ના કેસ તરીકે ગણી શકાય.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજય કિશન કૌલ અને સુધાંશુ ધુલિયાની બેન્ચે છૂટાછેડા માટે બંધારણની કલમ 142નો ઉપયોગ કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. ખંડપીઠે કહ્યું કે, જ્યારે લગ્ન ન ભરી શકાય તેવું તૂટે છે ત્યારે એકમાત્ર ઉકેલ છૂટાછેડા છે. પતિ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પર વિચાર કરતી વખતે બેન્ચે કહ્યું હતું કે, આ લગ્ન ન ભરી શકાય તેવા ભંગાણનો ક્લાસિક કેસ છે.

સર્વોચ્ચ અદાલતે છૂટાછેડા અંગે તાજેતરમાં આપેલા બે ચુકાદાઓને ટાંક્યા છે. એક નિર્ણયમાં એવું કહેવામાં આવ્યું હતું કે, જે લગ્નો કોઈક રીતે તૂટી ગયા હોય તેને ક્રૂરતાના આધારે ખતમ કરી શકાય છે. બીજા નિર્ણયમાં કહેવામાં આવ્યું છે કે, કલમ 142નો ઉપયોગ લગ્નના અવિભાજ્ય ભંગાણના આધારે છૂટાછેડા આપવા માટે થઈ શકે છે.

સર્વોચ્ચ અદાલતે પોતાના નિર્ણયમાં કહ્યું કે, બાળકો માટે જો પતિ-પત્ની બંને પોતાના મતભેદોને બાજુ પર મૂકીને સાથે રહેવાનો નિર્ણય લઈ શકે તો આનાથી વધુ સંતોષ આપણને બીજું કંઈ નહીં મળે. કોર્ટે કહ્યું કે, બંને પક્ષો તેમના કઠોર વલણને કારણે કરારનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યા છે અને અમને અફસોસ સાથે કહેવાની ફરજ પડી છે કે હવે બંને સાથે રહી શકશે નહીં.

સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે, 12 વર્ષનો અલગ થવાનો સમયગાળો એ દંપતીને એકબીજા માટે જે પણ લાગણીઓ હતી તે ઓલવવા માટે પૂરતો સમયગાળો છે. બેન્ચે કહ્યું કે, તેથી અમે હાઈકોર્ટ જેવો આશાવાદી દૃષ્ટિકોણ લઈ શકતા નથી, જે હજુ પણ માને છે કે, બંને વચ્ચેના વૈવાહિક બંધનનો અંત આવ્યો નથી અથવા બંને હજુ પણ તેમના સંબંધોને નવું જીવન આપી શકે છે. આ સાથે સુપ્રીમ કોર્ટે બંનેના છૂટાછેડાને મંજૂરી આપી દીધી છે. જોકે બેન્ચે નોંધ્યું હતું કે, અપીલકર્તા-પતિ તેમની પુત્રીના શાળા શિક્ષણનો ખર્ચ ઉઠાવવા માટે જવાબદાર છે અને તેથી તેમને 20 લાખ રૂપિયા જમા કરાવવાનો આદેશ આપ્યો છે.

આ મામલામાં પતિએ નવેમ્બર 2012માં ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરીને તેની વિમુખ પત્નીને તેની વૈવાહિક જવાબદારીઓ નિભાવવા આદેશ આપવાની માંગણી કરી હતી. જોકે ફેમિલી કોર્ટે પતિની આ અરજી ફગાવી દીધી હતી. આ પછી તેણે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જોકે બાદમાં પતિએ અપીલ પાછી ખેંચી લીધી હતી અને ક્રૂરતાના આધારે ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરીને છૂટાછેડાની મંજૂરીની માગણી કરી હતી. ફેમિલી કોર્ટે પતિની અરજી ફગાવી દીધી હતી. આ પછી તેણે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. હાઈકોર્ટે પણ અપીલ ફગાવી દીધી હતી. આ પછી તેણે છૂટાછેડા માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com