પશ્ચિમ બંગાળના મંદિરમાં ભાગદોડ મચતા 4 મોત, 27 ઘાયલ

Spread the love

પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણામાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ, અહીંના લોકનાથ મંદિરના જન્માષ્ટમી મહોત્સવ દરમિયાન ભાગદોડ મચી જેમાં 4 લોકોના મોત થયા છે. આ સાથે જ 27 લોકો ઘાયલ થયા છે. આ ભાગદોડ મંદિરની બાઉન્ડ્રી વોલ શ્રદ્ધાળુઓ પર પડવાના કારણે મચી. હકીકતમાં સવારે વરસાદથી બચવા માટે લોકો આ બાઉન્ડ્રી વોલની આડમાં ઊભા હતાં. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યાં છે.

મુખ્યમંત્રી મમતા બેનરજીએ આ અકસ્માતની ગંભીરતા જોતા મૃતકોના પરિજનોને 5-5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ સાથે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને એક લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરાઈ છે. સામાન્ય રીતે ઘાયલ થયેલા લોકોને 50000 રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com