અમદાવાદ જિલ્લામાં તા. 27/09/23ના રોજ તાલુકા તથા તા. 29/09/23ના રોજ જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

Spread the love

જિલ્લા કક્ષાના ‘સ્વાગત’ કાર્યક્રમ માટે અરજદારો પોતાના પ્રશ્નો તા. 11/09/23 સુધીમાં જિલ્લા કલેક્ટરને મોકલી આપવા અનુરોધ

અમદાવાદ

રાજ્ય સરકાર દ્વારા લોક ફરિયાદોનું સમયસર અને અસરકારક નિવારણ થાય તે માટે ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે રાજ્યના તમામ જિલ્લા અને તાલુકા કક્ષાએ દર મહિને સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે.આ અંતર્ગત અમદાવાદ જિલ્લામાં પણ સપ્ટેમ્બર મહિનાનો તાલુકા અને જિલ્લા કક્ષાનો ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાશે. આગામી તા. 27/09/23ના રોજ તાલુકા કક્ષાનો તથા તા. 29/09/23ના રોજ જિલ્લા કક્ષાનો ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાશે.આ સ્વાગત કાર્યક્રમ થકી અરજદારોના પ્રશ્નોનું ત્વરિત હકારાત્મક રીતે નિવારણ કરવામાં આવશે.અધિક નિવાસી કલેકટરશ્રી, અમદાવાદની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ માં ભાગ લેવા માંગતા અરજદારો પોતાના પ્રશ્નો તા. 11/09/23 સુધીમાં જિલ્લા કલેક્ટરને મોકલી આપવા અનુરોધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com