અમદાવાદ
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા ગુમ/અપહરણ થયેલ શોધવાના બાકી બાળકોને શોધી કાઢવા સઘન પ્રયત્નો કરવા આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટર પી.કે.ગોહિલની ટીમના મ.સ.ઇ. હિતેન્દ્રસિંહ ખોડુભા તથા અ.પો. કોન્સ. હર્ષદસિંહ ગંભીરસિંહ દ્વારા તા.૦૬/૦૯/૨૦૨૩ ના રોજ ગુમ થયેલ ૧૫ વર્ષના બાળકને તા.૧૦/૦૯/૨૦૨૩ ના રોજ પુનીતનગર ક્રોસીંગ પાસે, મહાદેવ પ્લેટીનીયમ ફ્લેટની બાજુમાં આવેલ બગીચા ખાતેથી શોધી કાઢેલ છે.ઉપરોક્ત ભોગ બનનાર બાળક ઉત્તરપ્રદેશનો વતની છે. જે થોડા દિવસ પહેલા તેના પિતાના મિત્ર પાસે રહેવા માટે અમદાવાદ વટવા ખાતે આવેલ હતો. ગઇ તા.૦૬/૦૯/૨૦૨૩ ના રોજ સાંજના કલાક ૧૯/૦૦ વાગ્યે વટવા અંબ્રીકા બ્રીજની નીચે પેશાબ કરવા માટે ગયેલ હતો. આ વખતે પરત ઘરે જતા તે રસ્તો ભૂલી ગયેલ હતો. જેથી આ બાળક મોડી રાત્ર સુધી ઘરે નહી આવતાં ફરીયાદી દ્વારા ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી કોઈ અજાણયો વ્યકિત તેનો બદ ઈરાદો પાર પાડવા સારુ લઈ ગયેલ હોવા અંગે અજાણ્યા વ્યકિત વિરુધ્ધ ધોરણસર તપાસ થવા વટવા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ દાખલ થયેલ હતી.ઉપરોક્ત ગુમ થનારને અમદાવાદ શહેર વટવા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૧૦૩૮૨૩૦૯૧૭/૨૦૨૩ ઇપીકો કલમ ૩૬૩ મુજબના કામે તપાસ કરનાર અધિકારીને સોંપવામાં આવેલ છે.