AMC દ્વારા શહેરના સાતેય ઝોનમાંથી રસ્તા પર રખડતાં મૂકવામાં આવેલ ૧૩૧ પશુઓ પકડવામાં આવ્યા : ૧૧૪૨૭ કી.ગ્રા. ઘાસચારાનો જથ્થો જપ્ત

Spread the love

અમદાવાદ

રખડતા પશુત્રાસ અટકાવ અને નિયમનના કાયમી નિરાકરણના ભાગરૂપે સર્વગ્રાહી પગલાઓ સમાવિષ્ટ કરતી “પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ રાજય સરકાર ધ્વારા મંજુર થયેલ પોલીસી અન્વયે રખડતા પશુ પકડવાની તથા પોલીસીની અમલવારી માટે એકશનપ્લાન બનાવી લાંબાગાળા તથા ટૂંકાગાળાના વિવિધ પગલાઓ સાત ઝોનમાં એસ્ટેટ, હેલ્થ, સો.વે.મે, ઇજનેર, સીએનસીડી,યુસીડી, ટેક્ષ જેવા તમામ વિભાગો તથા શહેર પોલીસ કમિશનર દ્વારા ફાળવેલ ઝોન પોલીસ સ્ટાફની ટીમો બનાવી એન્ફોર્સમેન્ટ સહિતની સંયુકત કામગીરીઓ કરવા ઝોનના ડે.મ્યુનિ.કમિશનર આસી.મ્યુનિ.કમિશનરના સુપરવિઝન હેઠળ ઓફિસ ઓર્ડર નં-૭૭/૧ તા.૨૯ ૦૮ ૨૦૨૩થી હુકમો પ્રસિધ્ધ કરી. સદર પોલીસીની તા.૦૧ ૦૯ ૨૦૨૩થી અસરકારક અમલવારીની વ્યવસ્થા ગોઠવી સંયુક્ત કામગીરીઓ શરૂ કરાયેલ છે. શહેરમાં પશુમાલિકો તેમના પશુઓ પોતાની જગામાં રાખે, ખુલ્લા ન છોડે, ન્યુસન્સ, ગંદકી ન થાય તેમજ નાગરિકો તથા ટ્રાફિક અવર-જવરમાં અડચણ ઉભી ન કરે, પશુ રાખવાની જગા ન હોત તેવા પશુઓને શહેર બહાર અન્યત્ર શીફટ કરવા, પશુ રાખવા લાયસન્સ પરમીટ મેળવી લેવા, પશુઓની નોંધણી કરાવી RFID ચીપ અને ટેગ લગાડવા, પોલીસ કમિશનરના જાહેરનામાંનો ભંગ નહિ કરવા રખડતા પશુ પકડવાની મ્યુનિ કોર્પો શહેર પોલીસની કાયદેસરની કામગીરીમાં અવરોધ ઉભો નહિ કરવા તકેદારી રાખવા પશુમાલિકો / પશુપાલકોને તાકિદ કરવામાં આવેલ છે.

શહેરમાં પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલીસી-૨૦૨૩ના અમલવારી અન્વયે શહેરનાં ૭ ઝોનના વિવિધ વિસ્તારો નરોડા પાટીયા, વટવા કેનાલ રોડ, ગણેશ સર્કલ વિરાટનગર, પાલડી, મકરબા, વટવા, ચાંદખેડા, મેઘાણીનગર, વંદેમાતરમ ગોતા, અંબિકા વિધાલય નિકોલ, શાહપુર, સોલા, સરખેજ, કુબેરનગર, ઠક્કરબાપાનગર, નાના ચિલોડા, રાણીપ, નરોડા, ક્રિષ્ણનગર, રામ રાજ્ય નગ૨, જશોદાનગર-દેવીમાતા રોડ, વાડજ, ગોપાલ જી ના છાપરા, વણઝાર, આઝાદનગર, સુરેલીયા, રામાપીર નો ટેકરો, શીલજ, આઝાદનગર-તલાવડી તથા શાહીબાગ પોલીસ સ્ટેશન આ વિસ્તારમાંથી રખડતાં મૂકવામાં આવેલ ૧૩૧ પશુઓ પકડવામાં આવેલ છે.૧૧૪૨૭ કી.ગ્રા. ઘાસચારાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com