ટાગોર હોલમાં CPની અધ્યક્ષતાએ ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ : અમદાવાદમાં છેલ્લા 8 વર્ષથી મોટાભાગના પોલીસકર્મીઓની આતંરીક બદલીઓ ન થતાં બદલીનો તખતો તૈયાર 

Spread the love

CPએ ડ્રગ્સ,દારૂ અને જુગાર જેવી બેનંબરી પ્રવૃતીઓ પર રોક લગાવવા તેમજ પેન્ડીંગ ગુનાઓનો ઝડપથી નિકાલ કરવા માટે તમામ અધિકારીઓને કડકપણે ટકોર કરી

અમદાવાદ

પાલડીમાં આવેલ ટાગોર હોલમાં ગુરૂવાર બપોરે શહેરના નવા પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકની અધ્યક્ષતામાં પ્રથમ વખત ક્રાઇમ કોન્ફરન્સ યોજાઇ હતી. અમદાવાદમાં છેલ્લા 8 વર્ષથી મોટાભાગના પોલીસકર્મીઓની આતંરીક બદલીઓ ન થઇ હોવાનું CPના ધ્યાને આવતા તેઓએ આવા કર્મીઓની બદલીઓ માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે.પોલીસકર્મીઓની આતંરીક બદલીઓ નો તખ્તો તૈયાર!અમદાવાદમાં છેલ્લા 8 વર્ષથી મોટાભાગના પોલીસકર્મીઓની આતંરીક બદલીઓ ન થઇ હોવાનું CPના ધ્યાને આવતા તેઓએ આવા કર્મીઓની બદલીઓ માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે.આટલુ જ નહીં, પોલીસકર્મીઓને વહીવટ છોડીને સીધી રીતે નોકરી કરવા માટે આડકતરી રીતે CPએ ઇશારો કર્યો છે. આ ઉપરાંત, શહેરમાં વધી રહેલા ગુનાખોરીનો આંક કાબૂમાં લેવા કડકપણે સૂચના આપવામાં આવી છે. આઠ મહિનામાં શહેરમાં હત્યાના તમામ ગુનાઓનું પોલીસે આરોપી પકડી પાડીને ઝડપીથી કાર્યવાહી કરી હોવાનું તેઓએ કહ્યુ હતુ. આ સિવાય, દરેક અરજદારોની રજૂઆતો સાંભળીને યોગ્ય કાર્યવાહી કરવા માટે PIથી લઇને IPSને ટકોર પણ કરી હતી. આ કોન્ફરન્સમાં તમામ પીઆઇથી લઇને IPS અધિકારીઓ હાજર રહ્યા હતા. આ કોન્ફરન્સમાં CPએ ડ્રગ્સ,દારૂ અને જુગાર જેવી બેનંબરી પ્રવૃતીઓ પર રોક લગાવવા તેમજ પેન્ડીંગ ગુનાઓનો ઝડપથી નિકાલ કરવા માટે તમામ અધિકારીઓને કડકપણે ટકોર કરી હતી. આ ઉપરાંત, પીઆઇથી લઇને આઇપીએસ અધિકારીએ ફરજીયાતપણે અરજદારોની વાત સાંભળીને યોગ્ય કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા. CPએ આડકતરી રીતે કહ્યુ કે, પોલીસકર્મીઓ સીધી રીતે નોકરી કરે નહીં તો સજા માટે તૈયાર રહે. સાયબર ક્રાઇમ દ્વારા લોકોને સોશિયલ મિડીયા મારફતે લોકોમાં જાગૃતિ ફેલાવે. જેથી કરીને લોકો સાયબર ક્રાઇમનો શિકાર થતા અટકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com