વિશ્વ નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આવતીકાલે ૧૭મી સેપ્ટેમ્બરના રોજ સાંજે ૦૬.૩૦ કલાકે નગરદેવી ભદ્રકાળી મંદિર ખાતે મહાઆરતી કરાશે

Spread the love

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિરોગી રહી દીર્ઘાયું થઈ સતત માં ભારતીની સેવામાં જોતરાયેલા રહે તેવી અભ્યર્થના સાથે નગરજનો તેમજ મહાનગર સંગઠન મહાઆરતી કરશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભારત માતાને “વિશ્વ શ્રેષ્ઠ ભારત દેશ” તરીકે પ્રસ્થાપિત કરવાના સંકલ્પ સાથે ખૂબ ઝડપી ગતિએ દેશ હિત માટે નીતિગત નિર્ણયો કરીને દેશને પ્રથમ હરોળમાં પ્રસ્થાપિત કરવા ભગીરથ કાર્ય કરી રહ્યા છે : ધારાસભ્ય અને શહેર અધ્યક્ષ અમિત શાહ

અમદાવાદ

વિશ્વ નેતા, લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આવતીકાલે ૧૭મી સેપ્ટેમ્બરના રોજ સાંજે ૬.૩૦ કલાકે કર્ણાવતી મહાનગર સંગઠન દ્વારા નગરદેવી ભદ્રકાળી મંદિર ખાતે મહાઆરતીનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિરોગી રહી દીર્ઘાયું થઈ સતત માં ભારતીની સેવામાં જોતરાયેલા રહે તેવી અભ્યર્થના સાથે નગરજનો તેમજ મહાનગર સંગઠન મહાઆરતી કરશે.

ધારાસભ્ય અને મહાનગરના અધ્યક્ષ અમિતભાઈ પી. શાહે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનનું એક-એક ક્ષણ દેશ માટે, દેશના નાગરિકો તેમજ ગરીબોના અંત્યોદય માટે સમર્પિત છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભારત માતાને “વિશ્વ શ્રેષ્ઠ ભારત દેશ” તરીકે પ્રસ્થાપિત કરવાના સંકલ્પ સાથે ખૂબ ઝડપી ગતિએ દેશ હિત માટે નીતિગત નિર્ણયો કરીને દેશને પ્રથમ હરોળમાં પ્રસ્થાપિત કરવા ભગીરથ કાર્ય કરી રહ્યા છે.કર્ણાવતી મહાનગરના સૌ નાગરિકો તેમજ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીને જન્મદિવસ નીમિતે શુભેચ્છાઓ પાઠવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com