‘મારા અંતિમ સંસ્કારમાં સૂકા લાકડાં રાખજો, ભીના હશે તો મને ગેરસમજ થશે કે લોકો મારા માટે રડે છે’, : નાના પાટેકર

Spread the love

પ્રખ્યાત બોલિવૂડ એક્ટર નાના પાટેકર છેલ્લા કેટલાક દિવસોથી હેડલાઇન્સમાં છે. નાના પાટેકર ટૂંક સમયમાં વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ વેક્સીન વોર’ સાથે સિલ્વર સ્ક્રીન પર જોવા મળશે.

ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે. હાલમાં જ તેનું ટ્રેલર રીલિઝ થયું હતું જે બાદ અભિનેતા ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.

નાના પાટેકરે આ કારણે દરરોજ એક યા બીજા ઈન્ટરવ્યુમાં જોવા મળી રહ્યા છે અને કોઈને કોઈ ઘટસ્ફોટ કરી રહ્યો છે. હાલ વાયરલ થયેલ આ ઈન્ટરવ્યુમાં એમને આવી વાત કહી છે, જેને સાંભળીને ત્યાં હાજર લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. નાના પાટેકરે કહ્યું- ‘મારા અંતિમ સંસ્કારમાં સૂકા લાકડાં રાખજો, ભીના હશે તો મને ગેરસમજ થશે કે લોકો મારા માટે રડે છે. મારી મિલકત માત્ર 12 મણ લાકડું છે, જે મારા અંતિમ સંસ્કારમાં લાગશે.’

હકીકતમાં જ્યારે અભિનેતાને એક ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું હતું કે તમે હંમેશા જેવા હતા તેવા જ રહ્યા છો, પરંતુ તમે ઇન્ડસ્ટ્રીમાં કેટલા લોકોને બદલાતા જોયા છે, તેઓ ગ્લેમરને સ્પર્શે છે અને તેઓ બદલાય છે. પણ તમે કઈ માટીના બનેલા છો કે તે રચના તમારી અંદર નથી આવી. આ સવાલના જવાબમાં અભિનેતાએ કહ્યું, ‘હું જાણું છું કે હું કાલે મૃત્યુ પામવાનો છું, હું મૃત્યુમાં વિશ્વાસ કરું છું. તેથી જ મને આ બાબતોમાં કોઈ રસ નથી.’

નાના પાટેકરે કહ્યું- મને મૃત્યુમાં વિશ્વાસ છે, તે એક દિવસ આવશે. મારા મૃત્યુ પછી મારામાં 12 મણ લાકડાનો ઉપયોગ થવાનો છે. તે લાકડું મારી અંતિમ મિલકત છે. તેની સહાયથી હું અહીંથી કાયમ માટે જતો રહીશ. મેં મારા માટે 12 મણ લાકડું પહેલેથી જ રાખ્યું છે. મારે એ જ સૂકા લાકડાથી બળી જવું છે પણ મારા અંતિમ સંસ્કારમાં ભીના લાકડાનો ઉપયોગ કરશો નહીં, કારણ કે ભીના લાકડામાંથી ધુમાડો નીકળશે અને એ સમયે ત્યાં આવેલ લોકોની આંખોમાંથી પાણી આવવા લાગશે.’

લોકો 2-4 દિવસ યાદ કરશે પછી બધા તમને ભૂલી જશે
અભિનેતાએ આગળ કહ્યું કે, ‘જો ધુમાડાને કારણે લોકોની આંખમાં આંસુ આવવા લાગશે તો જતી વખતે પણ મને ગેરસમજ થશે કે તેઓ મારા માટે રડે છે. મારા મતે મૃત્યુ સમયે કોઈ પણ પ્રકારની ગેરસમજ ના થવી જોઈએ. જો તમે કાલે મૃત્યુ પામશો, તો લોકો તમને 2-4 દિવસ યાદ કરશે પછી ધીમે ધીમે બધા તમને ભૂલી જશે. મેં તો પહેલા પણ કહ્યું છે કે હું મરી જઉં પછી કોઈ ફોટો ન લગાવતા, ભૂલાવી દેજો.’

આગળ એમને કહ્યું હતું કે, ‘અમે 7 ભાઈ-બહેન હતા, તે બધાએ આ દુનિયા છોડી દીધી, ફક્ત હું અહીં એકલો રહી ગયો. હવે મારા માબાપ નથી, ભાઈ-બહેન નથી, હું પણ આ દુનિયાનો નથી. મારા બધા પ્રિયજનો બીજી દુનિયામાં ચાલ્યા ગયા છે.’

ફિલ્મ વિશે વાત કરીએ તો, નાના પાટેકર, અનુપમ ખેર, રાયમા સેન, સપ્તમી ગૌડા અને પલ્લવી જોશી ધ કાશ્મીર ફાઇલ્સ ફેમ વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત ધ વેક્સીન વોરમાં જોવા મળશે. આ ફિલ્મ 28 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com