આજે વસ્ત્રાપુર અંધજન મંડળ ખાતે અમિત શાહ, મહાનગરના સંગઠનના પદાધિકારીઓ, ચૂંટાયેલી પાંખ, કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી દિવ્યાંગ બાળકોને ભોજન પીરસી ભોજન કરાવ્યું
ગાંધીનગર
રાજ્યના યશસ્વી તથા નિર્ણાયક મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ ૧૭ સપ્ટેમ્બરે આજે રવિવારે વહેલી સવારે અડાલજ ખાતે ત્રિમંદીરમાં સીમંધર સ્વામી અને અન્ય દેવ દેવતાઓના દર્શન પૂજન કરી વડાપ્રધાનના દિર્ઘાયુ તથા નિરામય જીવનની પ્રાર્થના કરી હતી. વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત દેશ વિશ્વમાં પ્રગતિ ની નવી ઉંચાઈઓ સર કરે તેવી મંગલ કામના મુખ્યમંત્રીએ કરી હતી. તેમણે દાદા ના ચરણોમાં શીશ ઝુકાવી પ્રાર્થના પણ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે આજે સવારે અંધજન મંડળ, વસ્ત્રાપુર ખાતે દિવ્યાંગોને ભોજન કરાવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નિરોગી રહી દીર્ઘાયુ થઇ માઁ ભારતીની સેવામાં સતત જોતરાયેલા રહે તે માટે અભ્યર્થના કરવામાં આવી. મહાનગરના અધ્યક્ષ અને ધારાસભ્ય અમિત ભાઈ પી શાહ, મહાનગરના સંગઠનના પદાધિકારીશ્રીઓ, ચૂંટાયેલી પાંખ, કાર્યકર્તાશ્રીઓએ ઉપસ્થિત રહી દિવ્યાંગ બાળકોને ભોજન પીરસી ભોજન કરાવ્યું હતું. અંધજન મંડળના બાળકોએ પ્રાર્થના કરી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને અનેકાનેક શુભકામનાઓ પાઠવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિરોગી રહી દીર્ઘાયુ થઇ સતત માઁ ભારતીની સેવામાં જોતરાયેલા રહે તે માટે આજે જન્મદિવસ નિમિત્તે નગરદેવી ભદ્રકાળી મંદિર ખાતે મહાઆરતી કરવામાં આવી .વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે નગરદેવી ભદ્રકાળી માતાજીની મહાઆરતી કરવામાં આવી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી નિરોગી રહી દીર્ઘાયુ થઇ સતત માઁ ભારતીની સેવામાં જોતરાયેલા રહે તે માટે અભ્યર્થના કરવામાં આવી હતી. મહાઆરતીમાં મહાનગરના અધ્યક્ષ અને ધારાસભ્ય અમિતભાઇ પી શાહ, મહાનગરના પ્રભારીશ્રી સંજયભાઈ પટેલ, સહપ્રભારીશ્રી ધર્મેન્દ્રભાઈ શાહ, મેયરશ્રી પ્રતિભા બેન જૈન, ધારાસભ્યશ્રીઓ, સંગઠનના પદાધિકારીશ્રીઓ, કોર્પોરેશનની ટિમ, કાર્યક્રતાશ્રીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.