અંધશ્રધ્ધા ફેલાવતી ઢબુડી માતા કે મુખ્યમંત્રી નિતીનપટેલે લોકો આસ્થા રાખતા હોવાની કરી વાત

Spread the love

ગાંધીનગરના રૂપાલમાં રહેતાં ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતાનો અંધશ્રદ્ધાના ફેલાવી લાખો રૂપિયા લુટતાં હોવાનો પર્દાફાશ થયો છે. આ અંગે રાજ્ય નાયબ મુખ્યમંત્રી એ કહ્યું કે ‘ લોકો બીમારીથી સાજા થવા આસ્થા રાખતાં હોય છે.’ તાજેતરમાં જ ઢબુડી માતાના પાલનપુરના કાર્યક્રમમાં પોલીસ અને પાલનપુરના કોંગી ધારાસભ્ય મહેશ પટેલ પણ પગે લાગતાં હોય તેવો વીડિયો વાયરલ થયો છે.

અંધશ્રદ્ધા ફેલાવતી ઢબુડી માતા વિશે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે વાતચીત કરતાં કહ્યું કે‘ લોકો બાળકો માટે, બીમારીમાંથી સાજા થવા માટે આસ્થા રાખતાં હોય છે. કોઈને ધાર્મિક રીતે યોગ્ય લાગે કોઈને ન પણ લાગે. આ વ્યક્તિ ગત મામલો છે હું કોઈની ટીકા નહીં કરું’. ‘
ગાંધીનગરના રૂપાલ ગામનો ધનજી ઓડ નામનો પુરૂષ ચૂંદડી ઓઢી ઢબુડી મા બન્યો છે. જેના હજારોની સંખ્યામાં ફોલોઅર્સ છે. ધનજી ઓડનો દાવો છે કે તેના પર જોગણી માતાની કૃપા થઈ છે. ભક્તો તેને રૂપાલની જોગણી માતાના નામે ઓળખે છે. ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ માથા પર ચૂંદડી ઓઢી ધૂણે છે. રૂપાલ સહિત રાજ્ય ભરના અનેક ગામોમાં તથા મુંબઈમાં અનેક કાર્યક્રમો કરી ચૂકી છે ઢબુડી મા.
ઢબુડી માનો દાવો છે કે બીમારી, નોકરી, લગ્નના પ્રશ્નો ઉકેલવા તેઓ માસ્ટર છે. ઢબુડી માના પરચાનો પ્રચાર તેમના ભક્તો જ કરતા રહે છે. તેના ભક્તો વિવિધ કિસ્સાઓ પર યુટ્યુબમાં વીડિયો ચડાવતાં રહે છે. યુટ્યુબમાં લગભગ 20 લાખ જેટલાં ફોલોઅર્સ પણ છે. ઢબુડી મા જે શહેરમાં પહોંચે તે પહેલા તેમની ટોળકી પહોંચી જાય છે. જે કાર્યક્રમમાં ભક્તિનો માહોલ ઉભો કરે છે. ભક્તોનો દાવો છે કે ઢબુડી મા કેન્સરની બીમારી પણ મટાડે છે. ભક્તોનો એવો પણ દાવો કરે છે કે ઢબુડી મા પૈસા લેતા નથી. પરંતુ સ્વૈચ્છિક દાનના નામે લાખો રૂપિયાની કમાણી કરે છે. ઢબુડી માના કાર્યક્રમના સ્થળે ભક્તો જ ખાવા-પીવાના સ્ટોલ ઉભા કરે છે જ્યાંથી ભક્તો લાખો રૂપિયાની કમાણી કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com