જામનગરના 13 વર્ષના કિશોરનું મુંબઈમાં હાર્ટ એટેકથી મોત

Spread the love

યુવાનો બાદ હવે બાળકો પર પણ હાર્ટ-એટેકનું જોખમ જોવા મળી રહ્યું છે. જામનગરના 13 વર્ષના કિશોરનું મુંબઈમાં હાર્ટ એટેકથી મોત થયું છે. જામનગરના રહેવાસી અને મુંબઈ અભ્યાસ કરતા ઓમ સચિનભાઈ ગંઢેચા નામના 13 વર્ષીય બાળકનું હાર્ટ એટેકથી મોત થતા ભારે અરેરાટી મચી છે.

જામનગરમાં કામદાર કોલોની વિસ્તારમાં રહેતા અને પુરસ્કાર ગિફ્ટ શોપ નામની પેઢી ચલાવતા જામનગરના વેપારી સચીનભાઈ વેણીલાલ ગંઢેચાના 13 વર્ષની વયના પુત્ર ઓમનું મુંબઈમાં હૃદયરોગનો હુમલો આવી જતાં મોત થયું છે. જેથી પરિવારમાં શોક છવાયો છે.

સચિનભાઈનો 13 વર્ષનો પુત્ર ઓમ કે જે મુંબઈમાં અભ્યાસ કરે છે, અને તેને આજે સવારે એકાએક હૃદયરોગનો હુમલો આવી ગયો હતો. જેથી તેનું મોત થતાં આજે તેના મૃતદેહને જામનગર લાવવામાં આવી રહ્યો છે, અને બપોર બાદ કામદાર કોલોની વિસ્તારમાં આવેલા પુષ્પ એપાર્ટમેન્ટમાંથી તેની અંતિમયાત્રા કાઢવામાં આવશે. આ દુઃખદ સમાચારને લઈને ઘેરા શોકની લાગણી ફેલાઇ છે. માત્ર 13 વર્ષની વયના કિશોરનું હૃદયરોગના હુમલાથી નિધન થતાં પરિવાર ભારે શોકાતુર બન્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com