પ્રાંતિજ ઉમાધામ ખાતે જિલ્લા ખેતીવાડી અધિકારી ની કચેરી જિલ્લા પંચાયત સાબરકાંઠા દ્રારા આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ ૨૦૨૩ તેમજ રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મિશન ન્યુટ્રીસીરીયલ યોજના અંતર્ગત કુષિ સંમેલન-વ- કુષિ માર્ગદર્શન શીબીર કાર્યક્રમ યોજાયો હતો જેમા મિલેટ્સ કુષિ ક્ષેત્રે ઉપયોગી માહિત ગાર સ્ટોર ઉભા કરવામા આવ્યા હતા તો મિલેટ્સ નુ મહત્વ અને તેની ઉપયોગિતા અંગે માર્ગદર્શન પણ આપવામા આવ્યુ હતુ.
તો સાથે સાથે કુષિ શ્રેત્રે પણ માર્ગદર્શન પુરૂ પાડવામા આવ્યુ હતુ અને બાજરી , કોદરી ,રાગી , ડાંગ , મૌરૈયા વગેરે શરીર માટે કેટલુ ઉપયોગી છે તે વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ તો આ પ્રસંગે પૂર્વ મંત્રી પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર , તાલુકા પ્રમુખ પ્રદિપસિંહ રાઠોડ , ઉપપ્રમુખ ઉપેન્દ્ર કુમાર મકવાણા , જિ.સદસ્ય સેજલબેન પટેલ, વિસ્તરણ હિરેનભાઈ પટેલ અને અધિકારીઓ સહિત સ્ટાફ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.