ગુજરાત-રાજસ્થાન બોર્ડર પાસે જીપમાં સવાર 9 લોકોના મોત

Spread the love

ગુજરાત-રાજસ્થાન બોર્ડર પાસે રતનપુર ચેકપોસ્ટ નજીક ટ્રક સાથે અકસ્માત થયા બાદ જીપ પલટી મારી ગઇ હતી. જેમાં જીપમાં સવાર 9 લોકોના મોત નીપજ્યાં હતા જ્યારે 10 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે બિછીવાડા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બિછીવાડા પોલીસ સ્થળ પછી આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે.બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, આજે બપોરે અઢી વાગ્યાની આસપાસ ટ્રક અને ક્રૂઝર જીપ વચ્ચે અકસ્માત થયો હતો.

19 મજૂરોને લઇને ક્રૂઝર જીપ જઇ રહી હતી ત્યારે ટ્રક સાથે અથડાઈ હતી. ટ્રક સાથે અથડાયા બાદ ક્રૂઝર પલટી મારી ગઇ હતી. જેમાં 9 લોકોના મોત નીપજ્યાં હતા. જ્યારે 10 જેટલા લોકોને ઇજા પહોંચી હતી. બનાવની જાણ થતાં સ્થાનિકો આવી પહોંચ્યા હતા અને જીપમા સવાર લોકોને બહાર કાઢવા પ્રયાસો હાથ ધર્યા હતા.

બનાવ અંગે જાણ થતાં બિછીવાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે બિછીવાડા હોસ્પિટલ ખસેડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com