નવરાત્રિ પર્વ દરમિયાન મેટ્રો ટ્રેનનો સમય સવારે ૬.૨૦ થી મધ્યરાત્રિના ૨ વાગ્યા સુધી લંબાવાયો

Spread the love

અમદાવાદ

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર હાલમાં મેટ્રો ટ્રેન સેવાઓ અમદાવાદમાં સવારે ૬.૨૦ કલાકથી રાત્રિના ૧૦ કલાક દરમિયાન કાર્યરત છે. સવારે ૬.૨૦ થી સવારે ૭ વાગ્યા સુધી ૨૦ મિનિટનાં અંતરાલ પર તથા સવારે ૭ વાગ્યાથી રાત્રિના ૧૦ વાગ્યા સુધી સમગ્ર દિવસ દરમિયાન નિશ્ચિત ૧૨ મિનિટનાં અંતરાલ પર મેટ્રો ટ્રેન સેવાઓ કાર્યરત છે.નવરાત્રિ ઉત્સવની ઉજવણીનાં અવસર પર તારીખ ૨૩-૧૦-૨૦૨૩ સુધી સવારે ૬.૨૦ થી મધ્યરાત્રિના ૨ વાગ્યા સુધી મેટ્રો ટ્રેન ઉપલબ્ધ રહેશે. તારીખ ૨૩-૧૦-૨૦૨૩ સુધી મેટ્રો ટ્રેન સેવાઓ સવારે ૬.૨૦ કલાકથી રાત્રિના ૧૦ કલાક દરમિયાન રાબેતા મુજબ ઉપલબ્ધ રહેશે તેમજ રાત્રિના ૧૦ કલાકથી મધ્યરાત્રીના ૨ વાગ્યા સુધી દરેક મેટ્રો સ્ટેશનથી ૨૦ મિનિટનાં અંતરાલ પર ઉપલબ્ધ રહેશે. બંને કોરિડોરમાં દરેક ટર્મિનલ સ્ટેશનથી છેલ્લી ટ્રેન ઉપડવાનો સમય મધ્યરાત્રિના ૨ વાગ્યાનો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com